ખંભાળિયા : જુંગીવારા ધામ-બેહ ખાતે નવરાત્રિના પ્રથમ સોમવારે ઉજવાતી જાતર-મેળો મોફૂક, આવો છે ઈતિહાસ

દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડી નૈવૈદ્યનો લાભ લ્યે છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત જાતર મોકુફ રાખવાનો નિર્ણય જાહેર થયો

0
1782

જામનગર અપડેટ્સ : દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડી નૈવૈદ્યનો લાભ લ્યે છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત જાતર મોકુફ રાખવાનો નિર્ણય જાહેર થયો

ખંભાળિયા તાલુકાના બેહ ગામે  આવલે જુગીવારા ધામ ખાતે દર વર્ષ નવરાત્રીના પ્રથમ સોમવારે જુંગીવારા વાછરાભાના મંદિરે જાતર નું આયોજન કરવામાં આવે છે અને અઢારે વર્ણ માંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડે છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે અને સરકાર ની ગાઈડલાઈન દયાન માં રાખી ને મોટી સંખ્યામાં માનવ સમુદાય એકત્રિત ન થાય તેને ધ્યાનમાં રાખીને આ વખતે જુગીવારા વાછરાભાની જાતર(મેળો) મોકૂફ રાખવામાં આવેલ છે અને  બેહ ગામના ગોઠીયો દ્વારા નિવેધ (જુહાર) ચઢાવી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને નિવેધ ચઢાવવામાં આવશે આ બાબત  નોધ તમાત શ્રદ્ધાળુઓએ ધ્યાનમાં રાખવા ગામ અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઇતિહાસ અને પરંપરાગત ઉજવણી

ખંભાળીયા થી 30 કિલોમીટર દૂર દ્વારકા હાઇવે પરના વડત્રા ગામથી ૯ કી.મીના અંતરે બેહ ગામે જુગીવારા વાછરા ભાઈનું મંદિર આવેલું છે આશરે 490 વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત અંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુર ને ત્યાં હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બે ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વિર વછરાજ જુંગીવારા ના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે

ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની  ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કરો લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામ નો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરાભાએ ભરેલ છે. અત્યારે અહી જુંગીવારા વાછરાભાનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે

 જુંગીવારા વાછરાભાના મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓની માન્યતા છે કે બેહ ગામોના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ મંદિર ની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયાના દાખલા છે આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકોના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથી. જાતર માં સમસ્ત ગઢવી સમાજનો હોવાથી ચારણ સમાજની પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતર માં ભાઈઓ બહેનો ની રમતની અનેરી પરંપરાગત રમતની જમાવટ જોવા મળે છે આ સાથે વાછરા ભાઈ ના મંદિરમાં ખીર નું નિવેદન કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાત ની ઉજવણી કરવામાં આવે છે તેમજ જુગીવારા ધામ ગઢવી ચારણ સમાજ માટે એકતાનું પ્રતિક સમું પણ છે આજ જાતર માં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના ગામોમાંથી અને શ્રદ્ધાળુઓ નું ઘોડાપૂર ઉમટી પડીને અને જાતર ની ઉજવણી કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here