રીટાયર dyspના મૃતક પુત્ર સામે પત્ની-બે પુત્રીઓની હત્યાનો આરોપ, સાળાએ નોંધાવી ફરિયાદ

0
1630

જામનગર : ભાવનગર ખાતે રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રકશન સાથે સંકળાયેલ નિવૃત ડીવાયએસપીના પુત્રએ પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. ચાર વ્યક્તિ ઉપરાંત પાલતું કુતરાને ગોળી મારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના સાળાએ મૃતક બનેવી સામે બહેન અને બંને ભાણેજને પતાવી દઈ પોતે આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મૃતકને તેના અન્ય એક સબંધી જોડે ધંધાની બાબતે મનદુઃખ ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ક્ષત્રિય પરિવારને એવું ગ્રહણ લાગ્યું કે આવો હર્યાભર્યા માળો વિખેરાઈ ગયો..

ભાવનગરમાં વિજયરાજનગરમાં રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના કન્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલ પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા, તેમના પત્ની બીનાબા, ૧૮ વર્ષીય પુત્રી નંદીનીબા અને ૧૧ વર્ષીય પુત્રી યશસ્વીબાના મૃતદેહ ઘરમાંથી લોહીથી લથબધ હાલતમાં મળી આવ્યા હતા. ચારેય સભ્યોએ રિવોલ્વરમાંથી  છુટેલ ગોળીથી જ મૃત્યુ  નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. બીજી તરફ આ ચાર મૃતદેહ ઉપરાંત તેમના પાલતું કુતરાનો મૃતદેહ પણ ગોળી ધરબેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતક પૃથ્વીરાજસિંહના સાળાએ મૃતક બનેવી સામે પોતાની બહેન બીનાબા અને ભાણેજો નંદીનીબા તેમજ યશસ્વીબાની હત્યા નીપજાવી પોતે આપઘાત કરી લીધાની  ફરિયાદ નોંધાવી છે. મૃતક પૃથ્વીરાજે હત્યાને અંજામ આપતા પૂર્વે કુટુંબના વોટ્સએપ ગ્રુપમાં આપઘાત કરવા અંગેનો અંતિમ મેસેજ છોડ્યો હતો. જેમાં બંગલાના દરવાજા ખુલા હોવાનું જાણાવ્યું હતું. બીજી તરફ શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મૃતક પૃથ્વીરાજને તેના જ નજીકના કોઈ સબંધી સાથે આર્થિક વ્યવહારને લઈને મનદુઃખ પણ ચાલતું હતું. જો કે આ બાબત આપઘાત પ્રકરણ સાથે સબંધ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. પોલીસે હાલ આ પ્રકરણ અંગે તપાસ શરુ કરી છે. આ બનાવે સમગ્ર ભાવનગરમાં હાહાકાર મચાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here