ઓખા : મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ‘કૃષ્ણ-સુદામા’…બચાવી લેવાયા ૧૨ ખલાસીઓ, આવી છે ઘટના

0
695

જામનગર : ઓખાથી ૧૦ નોટીકલ માઈલ દુર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજના ૧૨ કરું મેમ્બરને ગત મોડી રાત્રે ઇન્ડીયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા છે. કોઈ પણ કારણસર ખાંડ અને ચોખા ભરેલ જહાજ  ડૂબી જતા ખલાસીઓને વહાણ છોડવા મજબુર બનવું પડ્યું હતું. આ ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું  હતું અને દેશની દરિયાઈ સીમાડાનું રક્ષણ કરતી એજન્સીએ ૧૨ કૃ મેમ્બરને બચાવી ઓપરેશન પાર પાડ્યું હતું. જો કે માલ વાહક જહાજમાં કઈ ખામીના કારણે આ ઘટના ઘટી તેનો તાગ મળ્યો નથી.

ભારતીય કોસ્ટગાર્ડે એમએસવી કૃષ્ણ સુદામા (એમએમએસઆઈ- 419956117) ના 12 ક્રૂને 26 સપ્ટે 20 ની રાત્રે ઓખાથી 10 નોટિકલ માઇલની આસપાસ બચાવી લીધા હતા. ચોખા અને ખાંડનો જથ્થો ભરેલ એમએસવી કૃષ્ણ સુદામાના વહાણમાં ડૂબતું હોવાની ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળી હતી. જેને લઈને શોધ અને બચાવ તુરંત શરૂ કરવામાં આવ્યું હતું.  જેમાં કોસ્ટગાર્ડ શિપ સી -411 ઓખાથી રવાના થઈ હતી, સી -161 ને મુન્દ્રાથી દૂર ખસેડવામાં આવતા એમ.વી. સધર્ન રોબિનને મદદ માટે મોકલવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ  સ્થાને પહોંચ્યું હતું, જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળ વચ્ચે તરતા ૧૨ ખલાસીઓઓને કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડ શિપ સી -411 એ રાત્રિના કલાકો સુધી વીસમ પરિસ્થિતિ વચ્ચે પડકારજનક સંજોગોમાં તમામ 12 ક્રૂને બચાવવાની બહાદુરી પૂર્વક બચાવ કામગીરી કરી હતી. બચાવેલ તમામ ક્રૂને ઓખા લાવવામાં આવ્યા હતા અને તેઓ સુરક્ષિત છે. જો કે ઓપરેશન કૃષ્ણસુદામાં પાર પાડી કોસ્ટ ગાર્ડની ટીમ ઓખા બદરે આવી ત્યારે તેઓની સફળતા તેઓના ચહેરા પર અંક્તિ થયેલ જણાતી હતી અને બચી ગયેલ ખલાસીઓએ પણ ભારતીય કોસ્ટ ગાર્ડનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here