જામનગર : ચાર ધામ પૈકીના એક એવા દ્વારકા ખાતેના ભગવાન દ્વારકાધીશ મંદિરે દરરોજ ભક્તોનો પ્રવાહ શીશ ટેકવવા આવે છે. દેશ-દુનિયામાંમાંથી આવતા ભાવિકોમાં કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે આજે જગત મંદિરને રજતભસ્મ દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. સરકારી ધારા ધોરણો મુજબ આયુર્વેદ પદ્ધતિને આવરી લઇ મંદિર અને પરિસરમાં આ કામગીરી કરવામાં આવી છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/09/dwarkadhis.jpg)
હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન-અનલોક પીરીયડની અમલવારી કરવામાં આવી છે. છતાં પણ કોરોનાને સંક્રમિત થતા રોકી શકાયો નથી એ વાસ્તવિકતા છે. સરકાર દ્વારા લાંબા સમય બાદ દેશના ધાર્મિક સ્થળો પરથી પ્રતિબંધ હટાવી લેતા ભાવિકો અનેરી શ્રધ્ધા સાથે મંદિર તરફ આવાગમન કરી રહ્યા છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/09/bhasm-3-1024x768.jpg)
દ્વારકા ખાતેનું ભગવાન દ્વારીકાધીસનું જગત મંદિર પણ ભાવિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હાલ મંદિર પરિસરમાં કોરોના સંક્રમિત ન થાય તે માટે અલગ રીતે મંદિરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આજે પોલીસની હાજરીમાં રજત ભસ્મ મિશ્રિત પાણી દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. જામનગરની પેઢીએ મંદિરોમાં આ પ્રકારના સેનેટાઇઝ ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય લેવલના માપદંડ મુજબ મંદિરને રજતભસ્મ દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. મંદિર ઉપરાંત પરિસરમાં આવેલ ઓફીસને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.