જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના સિક્કા ગામે ગત તા.1ના રોજ મોડી રાત્રે અગિયારેક વાગ્યે છત્રપાલસીંહ નટુભા જાડેજા, નરેન્દ્રસીંહ ઉર્ફે નલીયો જાડેજા, જયેન્દ્રસીંહ ઉર્ફે જયુ જાડેજા, રાહુલ મેરામણ ઓડેદરા રહે. નં.1 થી 4 સિક્કા તા.જી.જામનગર, સુરેન્દ્રસીંહ ઉર્ફે ઇલુ કંચવા અને પ્રદીપસીંહ ચંદુભા કંચવા રહે. નં.5,6,  મુંગણીગામ તાજી. જામનગર તથા ચાર અજાણ્યા માણસોએ પંચવટી કોલોની મેઇન રોડ પર જોષી સ્ટુડીયો નજીક વાહનો સાથે ઘસી જઇ જાફર, અબ્દુલ હુશેન અને વિક્રમ સામૈયા નામના ત્રણ યુવાનો પર હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો.

આ બનાવ અંગે વિક્રમ સામૈયાએ છ નામધારી તેમજ ચાર અજાણ્યા શખ્સો સામે સિક્કા પોલીસ દફતરમાં આઇપીસી કલમ 323, 504, 506(2), 143, 144, 147, 148 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી નરેન્દ્રસિંહ સિક્કા ગામે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે નોકરી કરતી કોઇ સ્ત્રી સાથે મિત્રતા ધરાવતા હોય અને અવાર-નવાર બેસી મજાક-મસ્તી કરતા હોય જેની જાણ જાફર યુસુફને થતા તેઓએ દવાખાનાના ડોકટર સાથે ચર્ચા કરી હતી. આ બાબતની જાણ આરોપી નરેન્દ્રસિંહને થતા તે તથા તેના ભાઇ છત્રપાલસિંહ સહિતના આરોપીઓ સાથે મળી હુમલો કર્યો હતો. આરોપીઓ હુમલો કરી પોતપોતાના વાહનો લઇ નાશી ગયા હતા. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પી.એસ.આઇ પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here