જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. મીઠાપુર ખાતે રીસામણે બેસેલ પત્નીને મળવા ગયેલ પતિની મોડી રાત્રે પથ્થરના ઘા ફટકારી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી છે. આ હત્યા તેની પત્ની, સાસુ અને સાળાએ કરી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને પકડી પાડ્યા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુરમાં એક યુવાનની ઘાતકી હત્યા નિપજાવવામ આવી છે. સુરજકરાડીમાં શક્તિનગર ખાતે ગત રાત્રે ખેંગારભા બુધાભા ભઠડના રહેણાંક મકાને દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક વાઘેર ઉવ ૩૫ નામના યુવાનની ગત રાત્રે ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. પ્રથમ મરચાની ચટણી આંખ પર છાટી કોઈ સખ્સોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી ઢીમ ઢાળી દિધુ હતું. જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનની પત્ની છેલ્લા બે માસથી રીસામણે બેઠી હતી, રીસામણે બેસેલ પત્નીને ગત રાત્રે મળવા ગયેલ આ યુવાન પર તેના પત્ની સમજુબેન, સાલા ખેંગારભા બુધાભા અને સાસુ ધનબાઇ બુધાભા ભઠડએ ગત રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હતી. આ ઘટનાને પગલે દ્વારકા પોલીસ પીઆઈ ગઢવી, પીએસઆઈ જે જી ઝાલા, એચસી ખીમાનંદ આંબલીયા, કીશોરભાઈ મેર, અને પીસી જયપાલસિંહ જાડેજા અને વિજય વારોતરીયા સહિતનાઓએ સ્થળ પર પહોચી તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે.સ્થળ નજીક જ સાસરિય સભ્યોનું ઘર છે. મૃતક ખેંગારભા રાત્રીના સમયે પોતાની પત્નીને મળવા ગયા હતા જો કે પત્ની યુવાનને મળી ન હતી. ત્યારબાદ યુવાન પર હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી છે.