
રાજાશાહી વખતે મુસ્લિમ સિપાહીઓ સાફો અને હિન્દૂ લડવૈયાઓ પાઘડી પહેરી પરંપરા નિભાવતા હતા એમ હાલારના રાજવી પરિવારના શત્રુશેલ્યજીએ એક જાહેર યાદીમાં જણાવ્યું છે.યાદીમાં જણાવ્યા મુજબ જે તે સમયે જૂનાગઢ, માણાવદર અને માંગરોળના સિપાહીઓ સાફો બાંધતા અન્ય રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા હતા. ત્યારે આપણાં યુવાનો, ખાસ કરીને દરબાર યુવાનો ક્યારે જાગશે ? આપણા વડાપ્રધાનના દાખલાને માન તો આપો, એવી લાગણી રાજવીએ કરી છે.

દેશના વડાપ્રધાને હાલારી પાઘડી પહેરી પરંપરાને નિભાવી પાઘડીની ગરીમાંને જાળવી છે. ત્યારે યુવાનો જૂની પરંપરામાં પરત ફરે એવી લાગણી રાજવી શત્રુશેલ્યજીએ વ્યક્ત કરી ટકોર કરી છે.