આવતીકાલે જાહેર થશે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરિણામ

0
578

જામનગર : ધોરણ દસ અને ધોરણ બારમાનું વિજ્ઞાન પ્રવાહની પરીણામ જાહેર થયા બાદ આવતી કાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે જાહેર થયેલ બંને પરિણામમાં જામનગર જીલ્લાના વિદ્યાર્થીઓનો દેખાવ અન્ય વર્ષોની સાપેક્ષમાં થોડો ઉતરતો રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આવતી કાલે સવારે બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર અપલોડ કરવામાં આવશે. જે તે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા બેઠક ક્રમાંક એડ કરી પોતાનું પરિણામ સવારે આઠ વાગ્યાથી જોઈ શકશે, આ ઉપરાંત વિધિવત પરિણામ આગામી સપ્તાહ સુધીના ગાળામાં પ્રત્યેક શાળાઓમાંથી આપવામાં આવશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here