જામનગરમાં યુનિયન બેંકના મેનેજરે એક સખ્સ સાથે મળી કાવતરું રચી, બોગસ પેઢી બનાવી, રૂપિયા પોણા કરોડની લોન મંજુર કરી લઇ રૂપિયા ૬૯ લાખની લોન મંજુર કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવેતા બેંક વર્તુળમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. પોલીસે બેંક મેનેજર અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોણા લાખની લોન હાથવગી કરી લીધા બાદ આરોપીએ રૂપિયા સાડા ચાર લાખ ચૂકતે કરી દીધા હોવાનું જાહેર થયું છે. આ કૌભાંડ છેલ્લા બે વર્ષથી આકાર પામ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં આવેલ યુનીયન બેન્કની જે.એમ.સી. બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે-ફ્લેટ નં.૩૦૧,શ્રી રેસીડેન્સી,આનંદ કોલોની,પટેલ કોલોની જામનગર તથા તેના જ સાગરિત દર્શન હસમુખભાઇ મણીયાર રહે-રાજપાર્ક પાસે,રાધે ક્રિષ્ના પાર્ક,પ્લોટ નં.૫૬,રીલાઇન્સ પેટ્રોલ પંપ પાછળ,જામનગર વાળાએ આ સમગ્ર કૌભાંડનું કાવતરું રચ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસના ગાળામાં યુનીયન બેન્ક જેએમસી બ્રાન્ચના બેન્ક મેનજર દશરથસિંહે પોતાના બેન્ક મેંજર તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી અન્યોને વિશ્વાસમા લઇ, તેના મળતિયા દર્શન મણીયાર સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી, તેમની પેઢીના નામનુ ખોટુ કોટેશન બનાવ્યું હતું. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી, બેંકના ખાતેદારોના નામે રૂ.૭૪,૨૫,૦૦૦ની લોન મંજુર કરાવી લઇ નાણા પણ પોતાના કબજે કરી લીધા હતા. આ નાણામાંથી મેનેજરે પોતાના સાગરીત દર્શનને કમીશન આપ્યું હતું. આ ઉપરાંત ખાતેદારોને ખબર પડી જતા આરોપી મેનેજરે મંજુર થયેલ લોન પૈકી ૪,૬૦,૦૦૦ રૂપીયા અલગ અલગ ખાતેદારોને પરત આપ્યા હતા. જો કે બાકીના રૂ.૬૯,૬૫,૦૦૦ રૂપીયા પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. આ આર્થિક કૌભાંડ અંગે ભોગગ્રસ્ત ખાતે દારોએ બેંકની હેડ ઓફીસ અને પોલીસમાં અરજી કરી હતી. જેને લઈને પોલીસે તપાસ કરાવતા મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ અંગે ભોગગ્રસ્ત ખાતેદાર જયેશભાઇ ઇન્દુલાલ મણીયારએ બેંક મેનેજર અને તેના મળતિયા સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ હાથ ધરી છે. બેંક મેનેજરના આર્થિક કૌભાંડને લઈને જામનગર બેંક વર્તુળમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે.