જામનગર : સાધુના વેશમાં શેતાન બની આ શખ્સે પરિવારની આબરૂ લીધી, લાલબતી સમો કિસ્સો

0
4008

જામનગર અપડેટ્સ : જામનગર પંથકમાં આવેલ એક ગામના ભોળા પરિવારે સાધુના વેશમાં આવેલ શેતાનને માન  આપતા આ જ નરાધમે પરિવારની યુવતી પર બળાત્કાર ગુજારી ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે પોલીસે આ નરાધમને પકડી પાડયો ત્યારે સાધુતા છોડી નરાધમ ગૃહ પ્રવેશ કરી લીધેલ સેતાનના રૂપમાં જોવા મળ્યો છે.

ધીરે ધીરે શિક્ષણનું સ્તર વધી રહ્યું છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાંમાં જાગૃતિ આવી છે. પરંતુ આ જાગૃતિની સાથે સાથે પ્રકૃતિ એની એજ રહી છે. આજે પણ ગ્રામીણ પ્રજાને કોઈને કોઈ ઠગ બાજો આસાનીથી છેતરી જાય છે. આવા અનેક બનાવો ક્યાંક ને ક્યાંક બનતા જ રહે છે ત્યારે તાજેતરમાં આવો જ એક બનાવ જામનગર જીલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા પરીવારને ઘરે એક સાધુ આધ્યાત્મ સામે અવારનવાર આવજા કરતો હતો. ભોળા પરિવારના ભોળપણનો  ફાયદો ઉઠાવી આ સખ્સે પિતૃ નડતર વિધિ કરવી પડશે એમ કહી પરિવારને વિધિ કરવાનું કહ્યું હતું અને છેલ્લા છ માસથી અહીં જ રહેતો હતો. દરમિયાન આ સાધુએ પરિવારની યુવાન પુત્રી પર નજર બગાડી હતી અને એક દિવસ તેણીની એકલતાનો લાભ લઇ, તાંત્રિક વિધિ કરી પરિવારને પતાવી દેવાની ધાક ધમકી આપી તેણી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. ત્યારબાદ આ નરાધમે જે તે પરિવારની આબરૂની નીલામી કરવા માટે તેણીને ધાક ધમકીઓ આપી તાજેતરમાં ૧૯ વર્ષીય આ યુવતીને પરાણે પોતાની સાથે લઇ ગયો હતો. પોતાની પુત્રી અને સાધુના વેશમાં સેતાન જોવા નહી મળતા પરિવારે પોલીસનો સહારો લીધો હતો. જેને લઈને પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સાધુના વેશમાં સાથે રહેતા અને પુત્રીને ભગાડી ગયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃધ્વીસિંહ પરમારનું  લોકેશન મેળવવા પ્રયાસો કર્યા હતા. જેમાં આ સખ્સનું લોકેશન નરોડા પાટિયા મળ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ અમદાવાદ પહોચી આરોપીને દબોચી લીધો હતો અને યુવતીને છોડાવી પરત લઇ આવ્યા હતા.

જામનગરથી અપહરણ કરીને આરોપી તેણીને જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ ગયો હતો અને આ સ્થળોએ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેણીનો કબજો સંભાળી બંનેનું મેડીકલ કરાવી, આરોપી સામે અપહરણ અને બળાત્કાર સંબંધે ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ આવતી કાલે રજુ કરશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here