જામનગર : ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ત્રણ પત્રકારોને છ માસની કેદ અને દશ હજારનો દંડ, આવો છે કેસ

0
1266

જામનગર અપડેટ્સ : જામનગર ગ્રામ્યના તત્કાલીન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ત્રણ પત્રકારો સહીત પાંચ સખ્સોને ધ્રોલ કોર્ટે આજે તકસીરવાન ઠેરવ્યા છે. તેર વર્ષ પૂર્વેના સરકારી મિલકતને નુકસાન પહોચાડવા સબંધિત કેસમાં કોર્ટે ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત પાંચને ગુનેગાર ઠેરવી છ માસની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો ફટકારવામાં આવ્યો છે.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વર્ષ ૨૦૦૭માં તાત્કાલિક કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે વર્ષ ફરિયાદ વિડ્રોઅલ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે અમાન્ય રાખી હતી. દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ ટકોર મુજબ સાંસદ અને ધારાસભ્યો સામે ચાલતા ક્રિમીનલ કેશ દરરોજ ચલાવવાના હુકમને લઈને આજે ધારાસભ્ય રાઘવજી પટેલ સામેનો કેસ ધ્રોલ અદાલતમાં ચાલ્યો હતો. જે તે સમયે કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત નરેન્દ્રસિંહ  જાડેજા, પત્રકારો જીતું શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જયારે સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજા સામેના આરોપો સાબિત નહિ થતા આ ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં દોષિત ઠેરવેલ ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને છ માસની સજા અને રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારી છે. આરોપીઓને સજાનું ફરમાન હવે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here