મારી પર રાજકીય વગદાર સખ્સે બળાત્કાર ગુજાર્યો છે, યુવતીની કોર્ટમાં ઘા

0
930

જામનગર : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાજપના કોર્પોરેટરના પુત્રના સાથ સહકારથી તેના ભાણેજે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના બહાને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે. પ્રથમ પોલીસ પાસે ગયેલ યુવતીને નિરાશા હાથ લાગતા હવે કોર્ટની શરણ લીધી છે.

જામનગરમાં હાલ ચકચારી બનેલા પ્રકરણની વિગત મુજબ, ગુલાબનગર વિસ્તારમાં રહેતા હિતેન સામજીભાઈ કણજારીયાએ એક વર્ષ પૂર્વે શહેરની જ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં મળેલ આ સખ્સે યુવતીને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી સબંધ વધાર્યો હતો. દરમિયાન પ્રેમના નામે પ્રેમી હિતેને અનેક વખત શારીરિક સબંધની માંગણી કરી હતી જેની સામે યુવતીએ લગ્નની ઇચ્છા જાહેર કરી હતી. સમયજતા આ સખ્સે વર્ષ ૨૦૧૯માં માર્ચ મહિનામાં વિદ્યાનગર લઇ ગયો હતો. જ્યાં પણ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતી રડવા લાગતા આખરે હિતેને તેણીને ૯/૯/૨૦૧૯ના રોજ ધોરાજી લઇ જઈ તેને મિત્ર પાસે લગ્નના કાગળો તૈયાર કરાવી, સાથેના ફોટો પાડી, કાગળોમાં સહીઓ લીધી હતી. ત્યારબાદ હિતેને તેણીને તેના ઘરે લઇ જવાના બદલે થોડા સમય બાદ લઇ જઈશ એમ જણાવી તેણી સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા અને તેના માતાના ઘરે મોકલી દીધી હતી.

અહી સુધી બધું બરાબર હતું પણ હિતેન તેણીને ઘરે લઇ ગયા પછી તેના માતાપિતાએ ઘરમાં પ્રવેશ આપ્યો ન હતો અને યેનકેન પ્રકારે તેણીને તેના માતાના ઘરે મોકલી દીધી હતી. ત્યારબાદ પણ હિતેન તેણી સાથે શારીરિક સંબંધ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ હાલ કોરોનાકાળમાં માતાને ઘરે રહેલ યુવતીને હિતેન અને તેના મામા એવા ભાજપના કોર્પોરેટર એવા જશરાજ પરમારના પુત્ર તપન અને પૂર્વેશ પરમારએ સાથે રહી તેણીને બોલાવી બે-ત્રણ વખત મીટીંગ કરી હડધૂત કરી તેણીની કાસ્ટ વિષે જેમતેમ બોલી તરછોડી દીધી હતી.

પ્રેમી હિતેને તેણીનો પત્ની તરીકે અસ્વીકાર કરી ઇનકાર કર્યો હતો, પોતાની સાથે વિશ્વાસઘાત કરી હિતેને બળાત્કાર ગુજારી, તેના મામાના દીકારા સાથે મળી ધાક ધમકી આપી હતી જેને લઈને તેણીએ મહિનાં પૂર્વે એસપીને અરજી કરી હતી. જેના જવાબમાં પોલીસે રાજકીય વગ તળે પ્રકરણને દાબી દેવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ શહેરના નામાંકિત વકીલ વીએચ કનારાનો સંપર્ક કરી કોર્ટમાં અરજી કરી છે. અને સીઆરપીસી કલમ ૧૫૬ મુજબ સીટી બી ડીવીજનના અધીકારીને હુકમ કરવાની માંગણી કરી છે. જેને લઈને પોલીસ દ્વવારા જે પ્રકરણનો અંત લાવી દેવામાં આવ્યો હતો તે પ્રકરણ ફરી સજીવન થયું છે. હવે જોવાનું એ છે કે પોલીસ ક્યારે ફરિયાદ નોંધે છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here