જામનગર: ૧૧માં ધોરણના વિદ્યાર્થીનું બે મિત્રોએ અપહરણ કરી હત્યા કરી

પોલીસ દ્વારા તપાસ દરમિયાન મૃતક ના મિત્ર એવા બે શખ્સો ની ધરપકડ: સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય કારણભૂત?

0
2897

જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી નું ગઈકાલે અપહરણ થયું હતું આ અંગે તરૂણ નાં પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.દરમ્યાન આજે આ તરૂણ નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગળેટૂંપો આપી હત્યા નીપજાવાયા પછી મૃતદેહ ને સળગાવી નાખવામાં આવ્યો હતો. આખરે સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટી જવા પામ્યો છે. અને મૃતક નાં જ બે અંગત મિત્રોએ આ કૃત્ય આચર્યું હોવાથી પોલીસે બંને ની ધરપકડ કરી છે.

આરોપી શુભમ સાથે મૃતક હાર્દિકની અંતિમ સેલ્ફી


આ સનસનીખેજ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫ માં બ્લોક નંબર ૩૦૨ માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના ૧૭ વર્ષના પુત્ર હાર્દિક નું ગઇકાલે અપહરણ થયું હતું. ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈ નો પુત્ર હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે પોલીસ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને માતા ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા ની ફરિયાદ નાં આધારે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.


બીજી તરફ આજે સવારે હાર્દિક નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ સુવરડા અને બે ભાઈ ડુંગર વિસ્તાર માથી મળી આવ્યો હતો. આથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી.અને તપાસ ને વેગ આપ્યો હતો.પોલીસ તપાસ મા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આકર્ષણ નાં કારણે તેના જ બે મિત્રો સુભમ નિલેશભાઈ પરમાર (૨૪) અને ખુશાલ મનીષભાઈ બારડ (૨૨) એ પ્રથમ અપહરણ કર્યું હતું.અને તેની ગળા ટુંપો આપી હત્યા નિપજાવી હતી. ઉપરાંત તેને કોઈ પ્રવાહી વાળું ઇન્જેક્શન આપી તેના મૃતદેહ ને પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો.

બંને આરોપીઓ પોલીસ હીરાસતમાં


આ સમગ્ર પ્રકરણ નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી છે. અને બંને આરોપીઓ ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી પોલીસે તે દિશા મા તપાસ નો ધમધમાટ શરૂ કરી બાઈક ઉપર હાર્દિક ને સાથે લઈ જનાર બંને ની પોલીસે ઓળખ મેળવી તેની શોધી કાઢ્યા હતા.અને બંને ને ઝડપી લેવાયા પછી પુછપરછમાં સમગ્ર બનાવ નો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.મૃતક હાર્દિક સાથે તેના બંને મિત્રો આકર્ષણ ધરાવતા હતા અને સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય કરતા હોવાનું પણ અનુમાન લગાવાયું છે.

શાળાએ જતો હાર્દિક જે ઘરે પરત જ ન ફર્યો

ગઇકાલે પણ આ માટે જ હાર્દિક ને પોતાના બાઈક મા ઉપાડી ગયા હતા.જયાં આનાકાની થતા બંને મિત્રો એ જ હાર્દિક ને કોઈ ઈન્જેકશન આપ્યા પછી ગળાટુંપો આપી હત્યા નિપજાવી, પુરાવા નો નાશ કરવા માટે મૃતદેહ ને પેટ્રોલ છાંટી ને સળગાવી નાખ્યો હતો.
આખરે પોલીસે સમગ્ર બનાવ ઉપર થી પડદો ઊંચકી નાખી બંને આરોપીઓ ની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here