વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મતદાનને હવે બે જ દિવસ બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યો છે. જામજોધપુર વિધાનસભા બેઠકમાં ભાજપાના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક અને પ્રચાર દરમિયાન અનેક સમાજના આગેવાનો ભાજપામાં જોડાયા હતાં અને ચિમનભાઈ સાપરિયાને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
જામજોધપુર વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયા દ્વારા ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે પ્રચાર-પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રચાર અંતર્ગત લાલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક દરમિયાન આહિર સમાજ, સગર સમાજ, દલિત સમાજ, લઘુમતિ સમાજ સહિતના અનેક સમાજના 700 થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. લોકોએ ઉત્સાહમાં ભાજપામાં જોડાતા રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાએ આગેવાનો અને કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. જોડાયેલા લોકોએ ચિમનભાઈ સાપરિયાને વિજય બનાવવા હાંકલ કરી હતી.
.
જામજોધપુર આહિર સમાજના આગેવાન ભાજપ અગ્રણી હરેશભાઇ બારિયાનો ભાજપ તરફી ધૂમ પ્રચાર
જામજોધપુરના લાલપુરના ફોટડી, ભોરિયો, કબરકા, શેઢાખાઇ, જોગરા, કૃષ્ણગઢ, વાનાવડ, વસંતપુર ગામે જનસંપર્ક દરમિયાન બેઠકો યોજાઇ હતી જેમાં ચિમનભાઇને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
જામજોધપુર તાલુકા આહિર સમાજ અગ્રણી તેમજ તાલુકા ભાજપના આગેવાન અને આ વિસ્તારમાં વેપાર ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા યુવા સામાજિક અગ્રણી અને મોટી ગોપ જિલ્લા પંચાયત ભાજપના ઇન્ચાર્જ હરેશભાઇ બારિયા ભાજપના લોકલાડીલા ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાના સમર્થનમાં લાલપુર, જામજોધપુર વિધાનસભાની બેઠક વિસ્તારમાં ધૂમ પ્રચાર કરી રહયા છે અને જણાવ્યું છે કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સહભાગી થવા આહિર સમાજ તેમજ અન્ય સમાજ ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત બનાવે.