જામનગર : જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વિધિવત જાહેર થાય તે પૂર્વે જ નિમણુક પત્ર લીક થઇ ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નામથી પ્રમુખ જગદીશ ઠાકોરના નામથી લીક થયેલ પત્રમાં પ્રથમ એક વર્ષ માટે વિપક્ષી નેતા તરીકે સીનીયર કોર્પોરેટર આનંદ રાઠોડનું નામ સામે આવ્યું છે. જયારે બીજા વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી લડી વિજેતા થયેલ ધવલ નંદાનું નામ ફાઈનલ થયું છે.
આ પત્ર ગત તા. ૧૧મીના રોજ અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી પ્રસિદ્ધ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે જામનગર અપડેટ્સ આ પત્રની સત્યતા અંગે દાવો કરતું નથી પણ કોંગ્રેસના સુત્રોના દાવા મુજબ આ પત્ર સો ટકા સાચો છે અને પત્ર મુજબ જ વિપક્ષી નેતાની નિમણુક થશે. આજે અગ્યાર વાગ્યે પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાંથી આવેલ લેટરને ખોલવામાં આવશે અને વિધિવત રીતે વિપક્ષી નેતાની જાહેરાત કરવામાં આવશે.