જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ખારવા રોડ પર એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. રીસામણે બેઠેલી પત્ની તેડવા જવા છતાં સાથે ન આવતા યુવાનને લાગી આવ્યું હતું અને તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે નોંધાયેલ બનાવની વિગત મુજબ, ખારવા રોડ પર રહેતા સુનીલભાઈ ધીરૂભાઈ સોરઠીયા ૪૭ એ ગઈ કાલે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રથમ ધ્રોલમાં સારવાર લીધા બાદ આધેડને જામનગરમાં ખાનગી હોસ્પિટલ રીફર કવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ, મૃતક સુનીલભાઈના પત્ની જયોતીબેન રિસામણે હોઈ જેને પિયરે તેડવા જતા સાથે આવવાની ના પાડતા જોઈ જે બાબતે લાગી આવતા આધેડે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.