હાલારમાં એક જ દિવસે બે શિક્ષકોના હાર્ટ એટેકથી અકાળે અવસાન

0
309

જામનગર જિલ્લાના ધ્રોલ અને દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસે બે શિક્ષકોના હાર્ટ એટેકથી થયેલા અકાળે અવસાનથી સમગ્ર હાલાર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રથમ બનાવમાં ધ્રોલના કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને સોયલ ગામના વતની કિરીટભાઈ ભગવાનજીભાઈ વિરમગામા (ઉ.વ. 48) પોતાના ઘરે કસરત કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેકના કારણે તેમને મૃત જાહેર કર્યા હતા. ધ્રોલ પોલીસે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં દ્વારકાના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહેતા રાયમલભા સુમરાભા સુમણીયા (ઉ.વ. 46), જેઓ વ્યવસાયે શિક્ષક હતા, તેમની તબિયત નાદુરસ્ત હોવાથી પોતાની ફોરવ્હીલ ગાડી રોડ સાઇડમાં પાર્ક કરીને આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. તેમને અગાઉથી લીવરની બીમારી હોવાનું પણ પોલીસ નોંધમાં ઉલ્લેખ છે. દ્વારકા પોલીસે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક જ દિવસે બે શિક્ષકોના અચાનક અવસાનથી શિક્ષણ જગત, વિદ્યાર્થીઓ અને બંને પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here