જામજોધપુર તાલુકાના મેધપર ગામના પ્રૌઢના ઘરે ઘસી જઈ નવ શખ્સોએ ધાક ધમકીઓ આપી રૂપિયા 6 લાખની મૂડી પર વ્યાજ વસૂલવા બળજબરી કરી, કોરા ચેક બળજબરી પૂર્વક લઈ મકાન અને વાડીનું લખાણ લખાવી લીધું હતું. જેની જાણ થતા વૃદ્ધના ગુમ થયેલા પુત્ર એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને લઇને પ્રૌઢએ તમામ શખ્સો સામે પોલીસ દફત્તરમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના મેઘપર ગામના અને હાલ જામનગર ખાતે બ્રાસપાટમાં મજૂરી કામ કરતા ગોવિંદભાઈ રૂડાભાઈ પાથર નામના આસાંઈએ ભાણવડ તાલુકાના રણજીત પુરા વિસ્તારમાં રહેતા સંદીપ પુંજાભાઈ દિનેશભાઈ સોલંકી,રે દુધાળા, હમીર પીપળોતર તાલુકો જામજોધપુર, જયસુખભાઈ કારેણા, પુંજાભાઈ જેસાભાઇ સોલંકી દુધાળા, નીતિનભાઈ પુંજાભાઈ કારેણા, પુંજાભાઈ સોલંકીના મોટા દીકરા તથા ચાલક સંદીપ અને રમેશ કારેણા નામના નવ શખ્સો સામે જામજોધપુર પોલીસ ધાક ધમકીઓ આપી ધીંગુ વ્યાજ વસૂલવા અપહરણ કરી બળજબરીથી જમીન લખાવી લેવા સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોવિંદભાઈ ના પુત્ર ચેતને આરોપી સંદીપ પુંજાભાઈ પાસેથી ₹6,00,000 ની રકમ વ્યાજ લીધી હતી. આ રકમ પર વ્યાજ મુદ્દલ ભરી શકતો ન હોવાથી ચેતન ગુમ થઈ ગયો હતો.
જેને લઈને આરોપીઓએ ગોવિંદભાઈના ઘરે જઈ તેને પુત્ર એ લીધેલા રૂપિયાને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી ત્યારબાદ આરોપીઓ ગોવિંદભાઈને કારમાં બેસાડી અપહરણ કરી મેઘપર ગામે તેના ઘરે લઈ ગયા હતા. ઘરમાં પ્રવેશ કરી ચેતનની સહીવાળા 13 કોરા ચેક આરોપી જયસુખ કારેણાએ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ગોવિંદભાઈ પાસે બળજબરીથી પોતાની માલિકીના ખેતરના વેચાણ સોદાખત કરાવી લઈ અવારનવાર રકમ તથા વ્યાજની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ગુમ પુત્ર ચેતનને જાણ થતા તેણે કપાસમાં છાંટવાની દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તારીખ 11 મીના રોજ ઘટેલી આ ઘટનાના પગલે ચેતનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાલ ચેતનની હાલત ગંભીર છે. બીજી તરફની ગોવિંદભાઈ પાથરે પોલીસનો સંપર્ક કરી તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.