જામનગર વિસ્તારમાં બજરંગ નાસ્તા હાઉસ નામની દુકાને વિમલભાઈ કિશોરભાઈ કનખરા નામના સખસે આથી દોઢેક વર્ષ પૂર્તાની જરૂરિયાત મુજબ હોય ચોકમાં રહેતા કપિલ સુભાષભાઈ કનખરા કેતન ઉર્ફે પીછી ભરતભાઈ નાખવા, સંજય બચુભાઈ કનખરા અને નીરવ પ્રકાશભાઈ નંદા નામના શખ્સ પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ વ્યાજના દરે રૂપિયા લીધા હતા. જે વ્યાજની રકમને મૂળ રકમ ભરપાઈ કરવામાં પહોંચી નહીં વળતા તમામ શખ્સોએ બળજબરીથી પઠાણી ઉઘરાણી કરી હતી અને જામીનગીરી માટે વિમલભાઈ પાસેથી કોરા ચેક સહી કરીને લઈ લીધા હતા. વ્યાજ વધી જતા વિમલભાઈએ તમામ શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસમાં મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.
જ્યારે સીટી સી ડિવિઝન પોલીસમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ સામે ચાર આસામીઓએ વ્યાજ વટાવ સંબંધ સંયુક્ત ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી બાબુભાઈ ટપુભાઈ રાઠોડ નામના આસામીએ રૂપિયા ચાર લાખની રકમ વ્યાજે લીધા બાદ આરોપીએ અઢી લાખની દુકાન પોતાના નામે કરી , એ જ દુકાન બાબુભાઈને ભાડે આપી, તેની પત્નીના એકાઉન્ટ સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલી તેણીના નામે રૂપિયા 18 લાખની લોન લઈ સબસીડી સહિતની રકમ વ્યાજ અને મુદ્દલ સાથે ઓળવી લીધી હતી.
આ ઉપરાંત સંજય શાંતિલાલ હેડાઈ નામના અન્ય એક આસામીએ દોઢ લાખની લીધેલી રકમ પર સાડા સાત હજારનું વ્યાજ ચૂકવી દીધા બાદ અન્ય રકમ આપવામાં પહોંચ ન થતા સંજયના પત્ની અલકાબેનના નામે આરોપી ઘનશ્યામભાઈએ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી કોરા ચેક લઈ ₹ 6 લાખનો ચેક બેંકમાં નાખી, ચેક બાઉન્સ કરાવી નેગોસીએબલ કેસ કરાવ્યો છે.
જ્યારે કેશુભાઈ ભનુભાઈ રાઠોડ નામના યોગેશ્વર ધામ વિસ્તારમાં રહેતા આસામીના દીકરા ચિરાગએ આરોપી ઘનશ્યામ પટેલ પાસેથી રૂપિયા ત્રણ લાખની લીધેલી મૂડીના બદલામાં બે લાખ જેટલું વ્યાજ આપવા છતાં પણ આરોપીએ વધુ 6 લાખની ઉઘરાણી કરી ચિરાગની વીમા પોલિસી પોતાના ખર્ચે ઉતરાવી એગ્રીમેન્ટમાં પોતાનું નામ દાખલ કરી ઉપરાંત કેશુભાઈના મકાન પણ વેચાણ કરાવી લીધો હતો. આ ઉપરાંત તેની પુત્રવધુ સીમાબેનના નામના કોરા ચેક કબજે કરી તે ચેક બાઉન્સ કરાવી નેગોસિબલ સંબંધિત કેસો પણ કરાવ્યા છે.
જ્યારે આરોપી ઘનશ્યામ પટેલએ કરસન વારોતરિયા નામના શખ્સને રૂપિયા 45 લાખ વ્યાજે આપી, ₹40 લાખ વસૂલી લઈ છતાં પણ વધુ મૂળી માટે સાત આઠ કોરા ચેક લખાવી લઈ, ત્રણ ચેક બાઉન્સ કરાવી સુરેન્દ્રનગરની કોર્ટમાં તેના વિરુદ્ધ ખોટા નેગોસીએબલ કેસ કરાવ્યા છે. આ ઉપરાંત કરસનભાઈના નામની વીમા પોલિસી કઢાવી તેમાં વારસદાર તરીકે પોતાનું નામ એગ્રીમેન્ટ માં રખાવી લીધું છે.
ચારેય આસામીઓની સંયુક્ત ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસ સ્ટરમાં ગોવાળ ની મસ્જિદ ની બાજુમાં પંચાસર ટાવર પાસે ઓફિસ ધરાવતા નિલેશભાઈ દીક્ષિત અને વિમલભાઈ ખોલ પાસેથી મોહનનગર આવાસ ના રહેતા કેયુર નીતિનભાઈ સંઘવીએ દરરોજના રૂપિયા 200 આપવાની શરતે ₹20,000 ની રકમ વેજી લીધી હતી આ મૂડી પર રૂપિયા 6000 દર મહિને ભરવા જતા અને રૂપિયા 45000 જેટલો વ્યાજ ચૂકવી આપવા છતાં આરોપીએ વધુ રૂપિયાની માંગણી કરી હતી તારો ભાઈ નિલેશ દીક્ષિતના રૂપિયા ચૂકવવા માટે કેયુરે વિમલ ફળ નામના શખ્સ પાસેથી રૂપિયા 10% લેખે સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેનું સાડા સાત લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજ-મુદલ સાથે ૧૮ લાખ જેટલી રકમની પણ જબરીથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ રકમ પેટે આરોપી વીમલે તેનું મકાન દસ્તાવેજની ઓરીજનલ ફાઇલ અને બેંકના કોરા ચેક પણ લખાવી લીધા હતા. બંને આરોપીઓની ધમકી અને પઠાણી ઉઘરાણીને લઈને કેયુરે બંને સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં આનંદ બાગની બાજુમાં રહેતા રાકેશભાઈ કાંતિલાલભાઈ સોમૈયા નામના મજૂરી કામ કરતા યુવાને પોતાની બીમાર પુત્રીની સારવાર કરાવવા માટે રામેશ્વર નગરમાં રહેતા હેમતસિંહ જાડેજા પાસેથી રૂપિયા દસ હજારની રકમ માસિક 30 ટકાને ઉંચા વ્યાજે લીધી હતી. જેની સામે કટકે કટકે રૂપિયા 21000 ચૂકવી આપ્યા છતાં પણ આરોપી હેમતસિંહ બળજબરીથી ચેક કબજે લઈ વધુ 45000 રૂપિયાની ઉઘરાણી કરી, ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ચેક રિટર્ન કરાવી ખોટો કેસ કરવાની પણ ધમકી આપી હતી. જેને લઈને રાકેશભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આરોપી હેમતસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરાવી છે.
જ્યારે શહેરના હાઉસિંગ બોર્ડની 80 ક્વાર્ટર ની ચાલીમાં વિસ્તારમાં રોશનબેન ના મકાનમાં રહેતા મામદ જુસબ ચૌહાણ નામના રીક્ષા ડ્રાઇવિંગ કરતા શકશે પોતાની જરૂરિયાત મુજબ ઇબ્રાહીમભાઇ મંદ્રા અને વસીમ કરીમ સંધિ પાસેથી રૂપિયા 10,000 ની રકમ 10% ના માસિક ઉચા વ્યાજે લીધી હતી. જે રકમ પર 18 હપ્તા ચૂકવ્યા બાદ વ્યાજ ચૂકવી ન શકતા આરોપીઓએ રીક્ષા ચાલક પાસેથી બળજબરીપૂર્વક વ્યાજ અને મુદ્દલ કઢાવવા માટે હસ્તગત કરેલા બે કોરા ચેક ત્રણ લાખની રકમ ભરી રિટર્ન કરાવી નેગોશિયેબલ કેસ કરાવ્યા હતા. આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે મહિલા સહિતના બંને સામે વ્યાજ વટાવ સંબંધે તો ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લા પોલીસ વડા એ કહ્યું ભોગગ્રસ્ત નીડર બની સામે આવે, વ્યાજખોરોની ખેર નથી
જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ જામનગર શહેરમાં બે સ્પેશ્યલ લોક દરબાર યોજી નાગરિકોને નીડર બનવા આહ્વાન કર્યું છે. દરરોજનું વ્યાજ વસુલતા વ્યાજખોરો નાના ધંધાર્થીઓને પરેશાન કરે જ છે આવી અનેક વ્યાજખોરીની વિગતો સામે આવી છે. આવા લોકો નીડર બની સામે આવે, અમુક લોકો કહે છે પોલીસ અમારા ખિસ્સા માં છે એક વાર આવા લોકોને સબક શીખવવા બહાર આવી ફરિયાદ નોંધાવો આવા લોકોને સીધા દોર કરી સમાજની બદીને દુર કરવી છે. કોઈ ડોન કે દાદો નથી કાયદો કાયદાનું કામ કરશે જ એમ જણાવી વ્યાજ ખોરોની જુબેસમાં સાથ આપવા જીલ્લા પોલીસ વડાએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.