ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય હકુભાની કથા બનશે પરિવર્તનમાં નિમિત્ત?

0
969

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહમાં છેલ્લા છ દિવસથી રાજકીય રંગ જોવા મળી રહ્યો છે પ્રથમ દિવસે ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ ત્યારબાદ હાર્દિક પટેલની હાજરી સૂચક બની છે આ બંને નેતાઓ ભાજપ માં આવી રહ્યાની અટકળો વધુ તેજ બની છે ત્યારે ગઈકાલે રાત્રે હાર્દિક પટેલની હાજરી એ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ ને વેગ આપ્યો છે.

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ રાત્રી કાર્યક્રમમાં હાજર રહેતાં નવા રાજકીય સમીકરણો અંગે ચર્ચા

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા કેજે ખરેખર રાજકીય કથા પણ બની રહે,તો નવાઈની વાત નથી.
ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની પ્રદેશ ભાજપના અધ્યક્ષ પટેલ સાથેની મંચ પર હાજરી, ઉપરાંત અન્ય ધારાસભ્યોની વચ્ચે પણ તેઓની પોથીયાત્રામાં હાજરી રાજકીય ચર્ચા નું કેન્દ્ર બની હતી.

સમગ્ર રાજયભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.આ ઉપરાંત ભાજપના જ આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ને માન આપીને ગઈકાલે રાત્રે પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા, ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા.

જેથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે.જામનગર ની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા હોવાથી નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here