જામનગર: કોન્ટ્રાકટરની કરપીણ હત્યા નીપજાવી ત્રણ આરોપી નાશી ગયા, એક ઘવાયો

0
3501

જામનગર નજીક ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ વસઇ ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટ કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર સખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે. સાત વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી એ હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈ કાલે આધેડની કારને આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. બીજી તરફ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને પણ ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહીત સમગ્ર હાલારમાં ચકચાર સાથે સનસનાટી ફેલાવનાર બનાવની વિગત એવી છે કે, જામનગરમાં સંકર ટેકરી વિસ્તારમાં આવેલ શાળા પાસે રહેતા ભીમસીભાઈ આંબલીયા નામના આધેડ વસઈ ગામ નજીકના ધોરી માર્ગ પરથી જામનગરથી રિલાયન્સ કંપની તરફ પોતાની બ્રેજા કાર ચલાવી પસાર થતા હતા ત્યારે જામનગરમાં જ અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના સખ્સોએ ભીમસીભાઈની કારને આંતરી લઇ છરીઓ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ભીમસીભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને લોહીના ખાબોચિયા વચ્ચે જ આખરી શ્વાસ ભર્યો હતો. બીજી તરફ આરોપી સામતભાઈને પણ પેટના ભાગે છરીના ઘા વાગી જતા તેઓને ૧૦૮ મારફતે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જામનગરમાં રહેતા ભીમસીભાઈના પરિવારજનોને આ બનાવની જાણ થતા તેઓના પત્ની સહીતનો પરિવાર ઘટના સ્થળ અને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ અને મૃતક બંનેને લઇ આવવામાં આવ્યા ત્યારે બંને પક્ષના સખ્સો એકત્ર થતા તંગદીલી પ્રસરી હતી. પોલીસે તમામ સખ્સોને દુર કરી મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદ નોંધી હતી.

આરોપી સામતભાઈના સબંધિઓએ સાત વર્ષ પૂર્વે મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈનું ખૂન કર્યું હતું. ત્યારથી તેઓની સાથે ભીમસીભાઈના પરિવારને મનદુઃખ ચાલતું આવે છે. આ જ મનદુઃખને લઈને આરોપીઓએ ભીમસીભાઈની હત્યા નીપજાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ ૩૦૨ મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલ આરોપીઓના સગળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here