જામનગર: મહેર સમાજ તથા સતવારા સમાજનું પૂનમબેનને ખુલ્લું સમર્થન, કહ્યું કામ બોલે છે

0
1481

જામનગર: જામનગર લોક્સભાના ભાજપના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ છેલા 10 વર્ષથી લગાતાર જામનગર અને દેવભૂમિ દ્વારકાની ચિંતા કરતા આવ્યા છે અને પોતાના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહ્યા છે એવો ભાવ દર્શાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત દરમિયાન મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે  પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી. આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

આ તબ્બકે, ૧૨ લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા. પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થા ના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here