જામનગર: ખીજડીયા પક્ષી અભયારણ્ય હવે રામસર સાઈટ પ્રસ્થાપિત

0
1249

વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે દેશના વધુ બે અભયારણ્ય રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરાયો છે. જયારે ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને પણ આ શ્રેણીમાં સમાવવામાં આવતા હવે દેશમાં કુલ ૪૯ રામસર સાઈટની સંખ્યા થઇ છે. 

વર્ષ ૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને પક્ષીઓના રક્ષણ માટે રુપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ રૂપરેખાને આધારે વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ગામે નિષ્ણાતો વચ્ચે પરિચર્ચાઓ થઇ હતી. ત્યારબાદ આ ચર્ચાને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે.

આપણા દેશમાં ગત વર્ષે કુલ ૪૭ રામસર સાઈટ હતી. જેમાં બે સાઈટનો ઉમેરો થતા દેશમાં હવે સંખ્યા ૪૯ સાઈટ થઇ છે. આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓરિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું છે.

કુદરતી વાતાવરણમાં પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા ભેજવાળા સ્થળોને રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે. ૨૦૨૧માં ભારતના કુલ ચાર સ્થળોનો એમાં સમાવેશ થયો હતો. જેમાં ગુજરાતના બે સરોવરોનો સમાવેશ થાય છે. ૧૯૭૧માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. એમાં ભારતના કુલ બે નવા સ્થળો ઉમેરાયા છે.


વર્ષ ૨૦૧૨માં ગુજરાતનું નળ સરોવર પ્રથમ રામસર સાઈટ જાહેર થયા બાદ ગત વર્ષે ગુજરાતના બે સરોવરોનો આ યાદીમાં સમાવેશ થયો હતો. મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના વધુ એક વેટલેન્ડને આ યાદીમાં સમાવાયું છે. જેમાં જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને પણ આ શ્રેણીમાં સમાવવામાં આવી છે. આ વર્ષે વધુ બે સાઈટ રામસર સંરક્ષણ યાદીમાં સમાવેશ થતા હવે દેશની કુલ ૪૯ સાઈટ્સને આ દરજ્જો મળી ચૂક્યો છે.

શું છે રામસર સાઈટ? શું મહત્વ છે ?

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના પગલે વેટલેન્ડની જાળવણી અને તેના સંવર્ધન માટે પગલાં લેવાઈ રહ્યાં છે. 2 ફેબ્રુઆરી-1971ના રોજ ઈરાનના રામસર શહેર ખાતે આ આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યો હતો. જે રામસર કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે. જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા ટકાઉક્ષમ માનવજીવન માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.

જળ સંતૃપ્ત જમીનો ભોજન, પાણી, રેસા, ભૂગર્ભ જળ રિચાર્જ, પાણીનું શુદ્ધીકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંશાધનો અને ઇકો સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે. તાજા પાણીનો મુખ્ય પૂરવઠો સંખ્યાબદ્ધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છ એમ માનવામ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here