જામનગર: માનસિક વોર્ડમાં મહિલાનું મોત કેવી રીતે થયું? રહસ્ય બની ગઈ મિસ્ટ્રી

0
1006

જામનગરમાં જીજી હોસ્પિટલના માનસિક વોર્ડમાં દાખલ મહિલા દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય દાખલ મહિલા દર્દીએ જ મૃતક મહિલાનું ગળું દબાવી દેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની તેણીના પતિએ આક્ષેપ કરતા હોસ્પિટલ પરિસરમાં શૂન્યતા પ્રસરી ગઈ હતી. હોસ્પિટલમાં હોબાળો મચી જતા પોલીસ પણ પહોચી હતી. આખરે હોસ્પિટલ તંત્રએ પેનલ પીએમ કરાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

જામનગરમાં જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આવેલ માનસિક વોર્ડમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી ઉવ ૪૦ નામના મહિલાનું કોઈ પણ કારણસર મૃત્યુ નીપજ્યું હતું. આ જ વોર્ડમાં દાખલ મહિલાએ ઝઘડો કરી તેણીનું ગળું દબાવી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મધુબેનનું મોત અન્ય મહિલાએ ગળું દબાવી દેતા થયુ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિ અશોકભાઈએ પત્નીનું મોત અન્ય મહિલાએ જ ઝઘડો કરી ગળું દબાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.

જેને લઈને સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતક મહિલાના મોતનું સચોટ કારણ જાણવા માટે તબીબોની પેનલ દ્વારા પીએમ કરવાનું નક્કી થયું હતું. જેને લઈને મામલો થાળે પડ્યો હતો.મૃતક છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here