જામનગર અપડેટ્સ : ભારતીય જનતા પાર્ટી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક 59 સીટ ઉપર વિજય મેળવ્યો તથા 1 સીટ ઉપર બિનહરીફ થઇ આમ કુલ 60 સીટ થી ઈતિહાસ રચ્યો. આ ઐતિહાસિક જીત સંદર્ભે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા, જામનગર શહેરના નગરજનોને આભાર વ્યક્ત કરવા ચાંદી બજાર ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆત વિજય શંખનાદ તથા જય જય શ્રી રામ ના નાદ થી કરવામાં આવેલ. જગદીશભાઈ પુંજાણી દ્વારા સંખનાદ કરવામાં આવેલ. મહામંત્રીઓ દ્વારા નવા ચૂંટાયેલ કોર્પોરેટરોને કમળ પુષ્પ અર્પણ કરી સ્વાગત કરેલ.

આ કાર્યક્રમની શરૂઆતમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા ઉદ્બોધન કરવામાં આવેલ. તેઓએ જણાવેલ કે, આ ઐતિહાસિક જીત પછી ઉપસ્થિત તમામ નવનિયુકત કોર્પોરેટરો, મંત્રી, ધારાસભ્ય, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, ચૂંટણી સમિતિ, સામાજિક આગેવાનો, પેજ પ્રમુખો, વોર્ડ પ્રમુખો નો આભાર માન્યો હતો. તેઓ એ જણાવેલ કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી એ દેશને જે વિકાસપથ આપ્યો છે, તેનું પરિણામ સ્વરૂપ આ ઐતિહાસિક પરિણામ છે. મહિલા મોરચા દ્વારા 1500 થી વધુ ખાટલા બેઠક કરવામાં આવેલ, અનેક બેઠકો વિવિધ મોરચાએ દ્વારા કરવામાં આવેલ. પક્ષનો એક એક કાર્યકર્તા નાની નાની સભાઓ કરી લોકોનો સંપર્ક કર્યો હતો. આ વિરાટ જીતનો શ્રેય આ તમામના શિરે જાય છે. તેઓ એ વિશેષ થી જણાવેલ કે આ જનાદેશ એ એક જવાબદારી છે. દરેક લોકપ્રતિનિધિ / કોર્પોરેટર સત્તત પ્રજાસમક્ષ રહેશે તેવી ખાતરી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા આપવામાં આવેલ.

ગુજરાત રાજ્યમંત્રી રિવાબા જાડેજા એ સૌ કોઈનું સ્વાગત કરતા જનતા નો ઋણ સ્વીકાર કરેલ, તેઓ એ જણાવેલ કે, આજે આ ખેસ પહેરી ગર્વની લાગણી થાય છે, જે ભારતીય જનતા પાર્ટી એ આ ઐતિહાસિક જીત મેળવેલ છે. આ વિજય કાર્યકર્તાના સમર્પણનું પરિણામ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ડે.સીએમ. શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી આ પરિણામ શક્ય બન્યું. આ અભૂતપૂર્વ પરિણામ માં જામનગરની જનતાનો મહત્વનો ફાળો રહ્યો છે. સંગઠનની તાકાત થી આ પરિણામ શક્ય બન્યું છે.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ સાંસદ પૂનમબેન માડમ માટે કહ્યું કે, તેઓ એ બુલડોઝરની જેમ કોંગ્રેસ નો સફાયો કર્યો. શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મંત્રી રિવાબા જાડેજા તથા મંચસ્થ મહેમાનો નુ સ્વાગત કરેલ. દરેક વખતે જામનગરની જનતાએ ઉતરોતર વધુ ને વધુ સીટ આપી છે. તેઓએ જણાવેલ કે, જામનગર ની જનતાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના હાથ ને મજબૂત બનાવેલ છે.

જામનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી એ જણાવેલ કે અહીં 64 કોર્પોરેટર ઉપસ્થિત છે. તેઓએ નામાવલી તૈયાર કરવા મુદ્દે જણાવેલ કે સમગ્ર સંગઠનની ટીમ દ્વારા ભારે જહેમત બાદ શ્રેષ્ઠ લિસ્ટ તૈયાર કરેલ. ટિકિટ જાહેર થતા જ અન્ય ટિકિટ માંગનાર ઉમેદવારો સંગઠનની કામગીરી એ લાગી ગયેલ. તેઓએ વિશેષ થી જણાવેલ કે, ચૂંટાય ગયા એટલે જવાબદારી પૂરી નહીં, પાંચ પાંચ વર્ષ સત્તત લોકસેવા કરતું રહેવું પડશે. આ ચૂંટણી માત્ર વિસામો છે, ફરી 2027 માં આવું પરિણામ લાવવા કમર કસવી પડશે. આમ પ્રભારી શ્રી ધનસુખભાઇ ભડેરી દ્વારા આગામી ધારાસભા માટે કામગીરી શરુ કરી દેવા સૂચવેલ.

સાંસદ પૂનમબેન માડમ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, માનનીય મંત્રી શ્રી રીવાબા જાડેજા મજબૂત નિર્ણયશક્તિ વાળા છે, તો દિવ્યેશભાઈ અકબરી સત્તત જાગૃત રહેનાર ધારાસભ્ય, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે સહીત ચૂંટણી સમિતિના સભ્યોની કામગીરીની સરાહનીય કરેલ. તેઓએ જણાવેલ કે વોર્ડ ન 12 ફોર્મ ભરવું એ પણ એક હિમ્મત ની બાબત છે. અને આપણા માટે એ ઉમેદવારો કોર્પોરેટરો જ છે. તેઓએ ૬૦ સીટની આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરતાને આપેલ. તેઓ એ જણાવેલ કે, સત્તત માઇક્રોમેનેજમેન્ટ કરી આ ચૂંટણી લડી. સંગઠન ની શક્તિ થી કેવું પરિણામ મળે, તેનું ઉદાહરણ આ ઐતિહાસિક વિજય છે. આ જીતનું ચિંતન મનન કરીએ, અને વિચારીએ કે આ અદ્ભુત જીત શુકામ ? તો જવાબ મળે કે નાગરિકો ને માત્ર આશા આપણી પાસેથી જ છે, ભારતીય જનતા પાર્ટી પાસે થી જ છે. એટલે આ અભૂતપૂર્વ વિજય થયો છે. આ મંચ ના માધ્યમથી સાંસદ એ જામનગર શહેર, જિલ્લો, દેવભૂમિ દ્વારકા સંસદીય સીટ મતવિસ્તાર ના તમામ મતદાતાનો પણ આભાર માનેલ. સાંસદ શ્રી એ જણાવ્યું કે નાગરિકો એ પોતાની જવાબદારી પૂર્ણ કરી, આવતીકાલથી આપણી જવાબદારી શરૂ થાય છે. જેટલી મોટી જીત, એટલી મોટી જવાબદારી છે. હવે વિપક્ષ પણ નથી, એટલે ફરજિયાત પણે કામ, સુવિધા લઈ લોકો પાસે જવાનું રહેશે. આપણે એક પ્રોગ્રેસિવ રાજનીતિથી જનાદેશ આપ્યો છે. હવે વિપક્ષ કામ કરવા નહીં દેતું, તેવું બહાનું નહીં ચાલે.
તેઓએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે, કોંગ્રેસના ઘણા નેતાઓ 2027 ની તૈયારી કરતા હતા, પણ પબ્લિક એ જનાદેશ આપી સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે કોઈ આગોતરા આયોજન કરતા હો તો રહેવા દેજો. કોંગ્રેસ ના અમુક નેતા ધારાસભા ની તૈયારી કરતા હતા આ પરિણામ એ તેઓના સપના રોડી દીધા છે. પૂનમબેન માડમ એ કોંગ્રેસ ને ખાસ ટકોર કરેલ કે સોશિયલ મીડિયામાં ભાજપ ને વગોવાનું કામ કરો છો, રહેવા દયો. સારી જગ્યાએ નાણાં વાપરો. લોકો એ જામનગર મહાનગર પાલિકા માંથી કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા છે. સાંસદ શ્રી એ વધુ માં જણાવેલ કે કોર્પોરેશન એ જનસેવા નું સ્થાન છે. આપણી માલિકી ની જગ્યા નહીં, સરકાર દ્વારા મોકલવામાં આવેલ એક એક રૂપિયો જનહિત માટે જ વપરાય, ગુણવત્તાયુક્ત કામ થાય તેવી કામગીરી કરવાની રહેશે. સત્તત લોકો વચ્ચે રહી, ચૂંટણી ઘોષણા પત્ર સહિતના કામ પૂરા કરીએ. તેવું સૂચન કરેલ. તેઓ એ મતદાન દિવસની ઘટના યાદ કરતા જણાવેલ કે જ્યાં બપોરે ૧૨ વાગ્યે મતદાન ધીમું થઇ રહ્યું હતું, ત્યાં ધોમ ધખતા તાપ માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ૧૦% – થી ૨૦% મતદાન કરાવ્યું. જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ અટકાવી શકે નહિ, તેઓ ના જુસ્સા ને કોઈ રોકી શકે નહિ. આમ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. સભા સંચાલન દિનેશ ગજરા, મેરામણભાઇ ભાટુ દ્વારા કરવામાં આવેલ.

આ ઐતિહાસિક વિજય સભા માં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, નિલેશ ઉદાણી, અશોક નંદા, ધીરુભાઈ કનખરા, પૂર્વ મેયર વિનોદ ખીમસૂર્યા, અમીબેન પરીખ, દિનેશ પટેલ, મનહરભાઈ ઝાલા, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, રાજુભાઈ શેઠ સહિત નવા ચૂંટાયેલ કોર્પોરેટર શ્રીઓ, કાર્યકર્તાઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાર્ગવ ઠાકર, કન્વીનર, ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ, જામનગર મહાનગરની અખબારી યાદી માં જણાવામાં આવેલ છે.





