જામનગર: પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે થયો ડખ્ખો, પછી ગયો એકનો જીવ

0
1400

જામનગર તાલુકાના લાખાબાવળ ગામે એક પરિણીતાએ જાત જલાવી આપઘાત કરી લીધો છે. પતી સાથે જમવાનું બનાવવા બાબતે થયેલ બોલાચાલી બાદ તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના પિયર અને સાસરિયા સભ્યોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

G.G.Hospital
G.G.Hospital

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતી ૩૫ વર્ષીય રેખાબેન અમીતભાઇ કાન્તીભાઇ રાઠોડ નામની પરિણીતાએ ગત તા. બીજીના રોજ બપોર બાદ કોઈ પણ કારણસર પોતાના શરીર પર કેરોસીન છાટી , દીવાસળી ચાંપી ભડભડ સળગી જઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ બાદ ટૂંકી સારવાર દરમિયાન તેણીનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સબંધી જાગ્રુતીબેન પ્રવિણભાઇ સાંચલા રે લતીપર ગામ કિશાનચોક તા.ધ્રોલ જી.જામનગર વાળાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં પતી અને મૃતક પત્ની વચ્ચે જમવાનુ બનાવવા બાબતે બોલચાલી થઇ હતી. જેને લઈને તેણીને મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પંચકોશી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here