કોરોના અપડેટ : બીજી લહેર અંત તરફ, નવા દર્દીઓનો આંક ડબલ ડીજીટમાં

0
535

જામનગર અપડેટ્સ :  જામનગર જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, અને મૃત્યુનો આંકડો સિંગલ ડીઝીટ ની નજીક આવી જતાં કોરોના ના હવે વળતા પાણી થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરની સરકારી  જી.જી.હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા ૧૩ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે જામનગર ની ભાગોળે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જામનગરના વેપારી અગ્રણી નું પણ મૃત્યુ નિપજયું છે.જેથી કુલ ૧૪ દર્દીઓના મૃત્યુ થયા છે આ ઉપરાંત કોરોના ના કેસ મામલે આજે વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. જામનગર શહેરના ૫૫ અને ગ્રામ્યના ૩૬ સહિત ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૧૬૮ અને ગ્રામ્યના ૧૪૧ મળી એકીસાથે ૨૦૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ  ખુબજ ઘટતો જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧ કલાકે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતા, જેમા હવે વધુ રાહત જોવા મળી રહી છે.  આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૫૯ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૧૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેથી છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૧૪ સહીત જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૩૬૯ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,અને ત્રણ ડીઝીટ માંથી ડબલ ડીઝીટ માં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧,૬૨૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૬ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૧૩૧ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૪,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૪,૯૬૧ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર વધુ ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૩૬૯ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૬૮ અને ગ્રામ્યના ૧૪૧ મળી ૨૦૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here