જામનગર : જામનગર સહિત રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ કાળની સૌથી વિપરીત અસર શિક્ષણ પર પડી છે. આવી સ્થિતિ વચ્ચે આજે રાજ્ય સરકારે નવી જાહેરાત કરી ધોરણ એક થી નવ ના વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં અને બોર્ડની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. સાથે સાથે ધોરણ 11માના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનમાં સમાવી લેવામાં આવ્યા છે.