જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે છઠ્ઠી માર્ચના રોજ બપોરે ત્રિકોણ બાદ પાસે ધ્રોલમાં જ રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જાડેજા પર બંને બાજુએથી આવી ચડેલા પાંચ સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી કરપીણ હત્યા નીપજાવી હતી. આ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. આરોપી સોઢા સાથે ટોલનાકે વાહન ચલાવવા બાબતે વાંધો પડ્યો હતો પરંતુ આરોપી ઓમદેવસિંહ અને દિવ્યરાજ વચ્ચે પનચક્કીના કોન્ટ્રાક્ટ કામમાં જરૂરી સામગ્રી પહોચાડી દેવાના કામ અંગે મનદુઃખ થયું હતું. જેને લઈને સોઢા અને ઓમદેવસિંહે સહિયારો પ્લાન કરી ભાડુતી સખ્સો પાસેથી હથિયારો મંગાવી પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/09/dhrol-firing-1024x1024.jpg)
ધ્રોલ તાલુકા મથકે ગત તા. ૬/૩/૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ વિસ્તારમાં એટીએમમાંથી પોતાની કાર તરફ પરત ફરતા દિવ્યરાજસિંહ જાડેજા પર પાછળથી આવેલ બે સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી હતી. આ બનાવ બાદ નાશી ગયેલ બે આરોપીઓને મોરબી પોલીસે પકડી પાડ્યા હતા. જે તે સમયે કારમાં નાશી ગયેલ અનિરૂદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણને પકડી પાડી મોરબી પોલીસે જામનગર પોલીસ હવાલે કર્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ સાથે મૃતક દિવ્યરાજને પડધરી ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયેલ માથાકૂટ અને આરોપી મુસ્તાક પઠાણ સાથે મળી હત્યા કરવાનો લાંબા સમયથી પ્લાન કરી રહ્યા હતા પણ બે છેડા ભેગા થતા ન હતા. અંતે સોઢાની મુલાકાત હાડાટોડા ગામના ઓમાંદેવસિંહ અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાના સાથે થાય છે. આ બંને સખ્સોને પણ દીવુભા સાથે જમીનના સોદાને લઈને મનદુઃખ ચાલતું હતું. ત્યારબાદ ચારેય સખ્સોએ ભેગા થઇ અહી મજુરી કામ કરતા અજીત વિરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુર નામના બંને સખ્સોને એક-એક ફોરવિલ લઇ દેવાની લાલચ આપી, વતનથી દેશી પિસ્તોલસ મંગાવી લીધી હતી. બંને પરપ્રાંતીય સખ્સ અને આરોપીઓએ અનેક વખત દીવુભાની રેકી પણ કરી હતી. અંતે તા. ૩/૬/૨૦૨૦નો દિવસ દિવ્યરાજમાટે ઘાતક સાબિત થયો હતો.
પોલીસે અગાઉ પરપ્રાંતીય સખ્સો સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જયારે મુખ્ય એવા આરોપી ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહને તાજેતરમ પકડી પાડી બે દિવસના રિમાન્ડ પર લીધા છે. જેમાં હત્યા અંગેનું વધુ એક નવું કારણ બહાર આવ્યું છે. મૃતક દિવ્યરાજસિંહ અને ઓમદેવસિંહ વચ્ચે પવનચક્કીની સાઈટ પર જરૂરી માલ સામાન પહોચતો કરવા માટેના કોન્ટ્રાક્ટને લઈને મનદુઃખ થયું હતું. દિવ્યરાજસિંહ કોઈ પણ શરતે આ કામ કરવા માંગો હોવાથી કામ વચ્ચે આવી ગયેલ દિવ્યરાજને હટાવવા માટે હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હોવાનું એલસીબી પોલીસે જણાવ્યું છે. આજે રિમાન્ડ પુરા થતા બંને આરોપીઓને ફરીથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.