જામનગરની સરકારી ફીજીઓથેરાપી કોલેજની હોસ્ટેલના ૧૫ છાત્રોએ જુનીયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે ૧૫ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.

સોમવારે સાંજે સેંકડ વર્ષના ૨૮ વિદ્યાર્થીઓની લેખિતમાં રેગીંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગીગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. ત્રણ સભ્યોની એન્ટી રેગીંગ કમિટીએ આ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ ૪૫ છાત્રોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી.
સરકારી કોલેજના પ્રિન્સિપાલે ૬ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી નિકાલ કરવામાં આવ્યો છે. જયારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાવી ફરમાવવામાં આવી છે. ૧૪ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ ૧૫ વિદ્યાર્થીઓના રિજલ્ટ સ્થગિત રાખવામાં આવશે.
જુનીયર અને સીનીયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા જુનીયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું. અમે જેમ કહીએ એમ જ કરવું, સીનીયર વિદ્યાર્થીમાં જે છ વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઇ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડ્યા હતા. જેને લઈને આ છ વિદ્યાર્થીઓને છ વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગીંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જો કે આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ આશ્ચર્યની વાત છે.