જામનગર : જામજોધપૂરના ભરકડી ગામે પરિવાર પર હુમલો, આધેડની હત્યાની ચકચાર

0
1041

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભરકડી ગામેં આજે સવારે એક પરિવાર પર અન્ય પરિવારે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી એક આધેડની કરપીણ હત્યા નિપજાવી છે. આ ઘટનામાં મૃતકના વૃદ્ધ પિતા સાહિતમાં અન્ય ત્રણ સભ્યોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામે રહેતા પટેલ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાર શખ્સોએ જૂની અડવાતને લઈને બોથડ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પરિવારના લાભુબેન ધરમશીભાઈ સાંગાણી ઉંમર 75, ગોવિંદભાઇ ધરમસીભાઈ સાંગાણી ઉમર 48, સાંગાણી જયંતીભાઈ ધરમશીભાઈ ઉવ ર 45 રે નાની ભરડકી તા જામજોધપુર વાળાઓ પર તૂટી પડ્યા હતા. જેમાં પટેલ પરિવારના વૃદ્ધ દંપતી, તેના બે પુત્રોને ઓછી વતી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ જયંતિભાઈએ દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. શેઠવડાળા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નાસી ગયેલ આરોપીઓ સામે ફરિયાદ નોંધવા અને સગળ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here