હકારાત્મક : સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓમાં પણ કેન્દ્રની ગ્રાન્ટ સીધી જ જમાં થશે : વિકાસને વેગ મળશે : સાંસદ પુનમબેન માડમ

0
824

જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15માં નાણાં પંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ વહીવટી સરળતા અને પારદર્શી વહીવટ દ્વારા વિકાસયાત્રાને વધુ વેગ આપવ સંસદમાં પણ ભારપૂર્વક રજુઆત કરી હતી. આ રજૂઆતને અનુસંધાને સરકારે હકારાત્મ અભિગમ દાખવી રજૂઆત ગ્રાહ્ય રાખી છે. જેને લઈને હવે આગામી સમયમમા જીલ્લાઓ અને તાલુકા પંચાયતોને મળતી કેન્દ્રની ગ્રાન્ટની રકમ સીધી જ જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જ જમા થશે. સાંસદ માડમના જણાવ્યા અનુસાર સરકારના હકારાત્મ અભિગમને  કારણે વિકાસ યાત્રાને વધુ વેગ મળશે. સરકારના આ નિર્ણય બદલ તેઓએ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલાનો નો આભાર વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here