જામનગરમાં રહેતા યુવાનને તેમના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા ચાર સાસરીયા સભ્યોએ માર મારતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે રિસામણે બેઠેલી પત્ની માટે સમાધાન કરવા તેઓ સાસરે ગયા હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ છે પોલીસે ત્રણ ભાઈઓ સહિતના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી અટકાયત કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
જામનગર માં ન્યુ કોલોની ઘાંચીના કબ્રસ્તાન પાસે રહેતા હરેશભાઈ ડાયાભાઈ પરમાર ગત તારીખ ૨૨મી મેના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામે ગયા હતા પોતાની પત્ની કેતુ બેન ઘણા સમયથી પિયરમાં રિસામણે બેઠી હતી જેથી હરેશભાઈ સમાધાન કરવા માટે શેઢાખાઇ ગયા હતા દરમિયાન ડાયાભાઈ કુંભાભાઈ હાથિયા, હસમુખભાઈ માયાભાઈ હાથીયા, ભુપતભાઈ માયાભાઈ હાથિયા અને વિપુલભાઈ માયાભાઈ હાથિયા નામના ચાર શખ્સોએ એક સંપ કરી હરેશભાઈ ને ધોકા તથા પાણી પડે મારી પગ કમર અને માથાના ભાગે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.
ચારેય શખ્સોએ માર મારતા હરેશભાઈ ને મનમાં લાગી આવ્યું હતું અને તેઓએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે હરેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે હરેશભાઈના ભાઈ વિજય ભાઈ પરમાર આરોપીઓ સામે ભાણવડ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.