જામનગરમાં અનોખી છેતરપિંડી સામે આવી છે. સમર્પણ સર્કલ પાસે સીધ્ધીવિનાયક પ્રા.લી.નામેથી પેઢી ધરાવતા શખ્સે એક આસામીની કાર વેચાણ કરવાનો વાયદો આપી રૂપિયા કે કાર પરત નહિ આપી છેતરપીંડી આચરી હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીટી સી ડિવિઝન પોલીસે જમીન મકાન લેવેચનો ધંધો કરતા આસામીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2022/02/images-2022-02-10T081521.284.jpeg)
જામનગરમાં સમર્પણ સર્કલ પાસે સીધ્ધીવિનાયક પ્રા.લી. નામની પેઢી ધરાવતા સુનીલ ઇન્દ્રવદન બારોટ રહે. હીમાલય સોસાયટી જામનગર વાળા શખ્સને શહેરમાં
જમીન મકાન લે-વેચનો ધંધો કરતા અને મકવાણા સોસાયટી, એલ.જી.હરીયા સ્કુલ સામેશેરી નં.૩, જામનગરમાં રહેતા રાજુભાઇ ભોજાભાઇ કાબંરીયા પાસેથી
જી.જે.-૦૩-એફ.કે.-૨૨૮૨ નંબરની સ્વીફ્ટ વીડીઆઈ ગાડી વેચાણ કરવાનો વિશ્વાસ આપી લઇ લીધી હતી. આરોપીએ ઉપરોક્ત નંબરનુ વાહન કે રકમ પરત નહી આપી વિશ્વાસધાત કરતા તેની સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 406 મુજબ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પીએસઆઇ એચ.જે.પરીયાણી સહિતના સ્ટાફે તાપસ હાથ ધરી છે.