સલાયા: યમન નજીક વહાણમાં લાગી આગ, ૧૪ ખલાસીનો બચાવ, એક લાપતા

0
739

સલાયાના અગ્રણી વહાણવટી આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું અલ નૂરે માસૂમશા નામનું વહાણ જે 1400 ટનનું હતું. જેની અંદાજીત કિંમત 6 કરોડ જેટલી થાય છે. આ વહાણ માલ ખાલી કરી યમનના નિસ્તુન બંદરેથી ગુરુવારના સવારે ખાલી નીકળ્યું હતું.

સલાયાના કમનસીબ વહાણનો ફાઈલ ફોટો, સાથે ચિંતિત મુદ્રામાં પરિવારજનો, તસ્વીર અહેવાલ_આનંદ લાલ , સલાયા

આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ વહાણમાં 15 ખલાસીઓ સવાર હતાં.આં વહાણમાં અકસ્માતે ગુરુવારના રાત્રીના આગ લાગેલ હતી.અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આં વહાણના ખલાસી ભાઈઓને ઓમાનની નેવીએ રેસ્ક્યું કરી અને 14 ખલાસીઓને બચાવ્યા હતા.

જ્યારે એક હમઝા ગની ચમડિયા નામનો ખલાસી લાપતા થયેલ હતો. આ વહાણએ મધદરિયે જળસમાધિ લીધી હતી. આ વહાણમાં આગ લાગી ડૂબવાના સમાચાર સલાયામાં મળતા વહાણવટી ભાઈઑ અને ગ્રામજનોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here