જામનગર : પતિએ આપેલ મંગલસૂત્ર જ પત્નીના મોતનું કારણ બન્યું, આવી છે કરુણ ઘટના

0
795

જામનગર : જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક મહિલાએ ઝેરી પ્રવાહી પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ અન્ય પાસેથી લીધેલ મૂડી ચૂકતે કરવા તેણીનું મંગલસૂત્ર ગીરવે મૂકી ઉછીના પૈસા લીધા બાદ મંગલ સૂત્ર પરત અપાવ્યાની જાણ થતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

પ્રતીકાત્મક તસ્વીર….

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મોરપીર દાદાના મંદિર પાસે રહેતા કીર્તિબેન મહેન્દ્રભાઈ મંગે ઉવ ૪૪ નામના મહિલાએ ગત તા. ૧૧મીના રોજ પોતાના હાથેથી કોઈક ઝેરી પ્રવાહી પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી એ ડીવીજન પોલીસે હોસ્પિટલ પહોચી તેણીના પતિનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેઓને રૂપીયાની જરૂર પડતા કોઈકના પાસેથી હાથ ઉછીતા રૂપિયા લીધા હતા. આ મંગલસૂત્ર છોડવા તેઓએ અન્ય પાસેથી ઉછીના રૂપિયા લઇ મંગલસૂત્ર છોડાવી તેણીને આપ્યું હતું. જેની જાણ થતા મૃતક પત્નીને લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે. પોલીસે તેણીના પતિના નિવેદન અને મૃતકના પિયર પક્ષના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here