જામનગર : વધુ એક જમીન કૌભાંડ, આ જમીન માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી

0
1095

જામનગર : જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલ એક ખેડૂતની છ એકર ઉપરાંતની જમીન પર ત્રણ સખ્સોએ ડોળો કેન્દ્રિત કરી, જમીનમાં પેસકદમી કરી નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી, પ્લોટીંગ પાડી રૂપિયા ૧.૬૬ કરોડની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ સીટી સી ડીવીજન પોલીસ દફતરે નોંધાઈ છે.

જામનગરની ભાગોળે આવેલ દરેડ ગામના લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાયેલ ફરિયાદની તપાસ હજુ અધુરી છે ત્યાં વધુ એક પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. જેની વિગત મુજબ, શહેરના રણજીતનગર ખોડીયાર પાન પાસે આવેલ છ એકર ઉપરાંત જમીન પચાવી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં હવાઇ ચોક, સેતાવાડ,ચિસ્તિચોક,વાંઢાનો ડેલો,પીરાની મંઝીલ નામના મકાનમાં રહેતા ઇકબાલ અલારખા શેખ નામના આસામીએ પોતાના મૃતક પિતા અલ્લારખા હાજી શેખની ભોગવટાની ખેતી લાયક ખેતીની જમીન રે.સ.નં.૧૩૨૩ પૈકી-૧, એકર ૬ ગુઠા ૩૪ કિ.રૂ. ૧,૬૬,૩૨,૫૯૪ કીમતની જમીન આરોપી રાણશીભાઇ કરશનભાઇ રાજાણી રહે-એમ.-૪૦ બ્લોક નં.૭ લાખોટામીગ કોલોની, જામનગર, નરશીભાઇ ગોપાભાઇ કાલસરીયા રહે-પંચેશ્વરટાવર રોડ,હિમાનીશ એવન્યુ,ફલેટ નં,૩૦૨ જામનગર વાળાઓએ પચાવી પાડવા માટે કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મરણ જનાર નકા મૈયા ચારણના નામે ખરો દસ્તાવેજ કરી લીધો હતો.

જયારે આરોપીઓએ હરેશભાઇ લક્ષ્મીદાસ પારેખ રહે-રણજીતનગર,નવો હુડકો, બ્લોક નં.જે/૧૭/બ્લોક નં.૨૧૫૩ પહેલો માળ, જામનગર નામનુ કુલમુખત્યાર નામુ કરી આપી, તેના મારફતે નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી હતી. ત્યારબાદ આરોપી રાણસીએ ગેર કાયદે વેચાણ ઉભો કરી જમીન પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. અને નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન ના વહીવટદારોએ  બીન ખેતી કરાવ્યા વગર અને પ્લોટીંગનો નકશો બનાવી રે.સ.નં.૧૩૨૩ પૈકી ૧ (એકર ૬ અને ૩૪ ગુઠા) જમીનને પણ આ નકશામાં આવરી લઇ પ્લોટીગ કરી આ નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન મારફતે  કબજા વગરના વેચાણ કરારથી  વેચાણ કરી નાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here