જામનગર: પાંચ બેઠકોમાં અડધા ફોર્મ રદ, કેટલા ફોર્મ માન્ય?

0
377

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભારે દોડધામ થવા પામી હતી. પક્ષ હોય કે અપક્ષ અંતિમ દિવસે સૌથી વધુ દાવેદારો કતારમાં જોવા મળ્યા હતા. આ પાંચેય બેઠકો પર કુલ 145 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું ઉમેદવારીપત્ર રજૂ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભરાયેલા ફોર્મ પૈકીના અડધા ફોર્મ એટલે કે 73 ફોર્મ અમાન્ય ઠર્યા હતા જ્યારે ૭૨ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. પાંચ પૈકીની માત્ર શહેરની બે જ બેઠકો પર ચાર મહિલા ઉમેદવારો મેદાને છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણી પ્રક્રિયાનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર 145 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓના ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી ફોર્મ ભરવાના એક સપ્તાહના ગાળા દરમિયાન નિરસતા જોવા મળી હતી, પરંતુ ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોમાં દોડધામ મચી હતી અને ફોર્મ ભરવા કતારો લગાવી હતી.
જામનગર જિલ્લાની પ્રથમ બેઠક એટલે કે કાલાવડ બેઠક પર 16 ઉમેદવારો, જામનગર ગ્રામ્ય બેઠક પર 31 ઉમેદવારો, શહેરની ઉત્તર બેઠકમાં 41 ઉમેદવારો, જ્યારે દક્ષિણ બેઠક પર 33 ઉમેદવારો અને જામજોધપુર બેઠક પર 24 ઉમેદવારો મળી કુલ 145 ઉમેદવારો એ પોતાનું નામકરણ પત્ર ભર્યું હતું.


ગઈકાલે પંચ દ્વારા તમામ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કાલાવડ બેઠકમાં 10, જામનગર ગ્રામ્ય અને જામનગર ઉત્તર બેઠક પર 19-19 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જ્યારે જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક પર 12-12 ફોર્મ રદ થયા હતા. કુલ 73 ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા હતા અને 72 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. એટલે કે ભરાયેલા ફોર્મ પૈકી અડધા ભાગના ફોર્મ રદ થયા છે.
ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ પાંચેય બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર થશે તે સુનિશ્ચિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here