જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં સરદાર નગરમાં શેરી નંબર 7 માં રહેતા 62 વર્ષીય બંગાળી વૃદ્ધની હત્યા નીપજાવી નાસી છૂટેલ પુત્રને પોલીસે અમદાવાદના બાવળા થી પકડી પાડ્યો છે એલસીબી ની એક ટીમે આરોપીને પકડી પાડ્યા બાદ જામનગર લઈ આવી પૂછપરછ કરી હતી જેમાં આ શકશે પોતાના જ પિતાની હત્યા કર્યાની કબુલાત કરી છે.
જામનગરમાં બે દિવસ પૂર્વે ગોકુલનગર વિસ્તારમાં સરદાર નગર શેરી નંબર સાતમાં રહેતા શંકરદાસ નામના 62 વર્ષીય બંગાળી વૃદ્ધની તેના જ મકાનમાંથી ખાટલા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃદ્ધની અજાણ્યા શખ્સોએ નિર્દયતા પૂર્વક હત્યા નીપજાવી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પરિવારના જ સભ્યો સામે શંકા ગઈ હતી કારણ કે પાંચ પૈકીના એક પુત્ર અને તેની પત્ની આ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. જેને લઇને પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર સુનિલ શંકરદાસ અને તેની પુત્રવધુ સુનયના સામે હત્યા સંબંધિત ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક મોબાઈલ લોકેશન મેળવી લઈ આરોપીની શોધ કોણે હાથ ધરી હતી.
જેમાં રાજસ્થાન તરફ નાસવાનો પ્રયાસ કરી રહેલા આરોપી સુનિલને પોલીસે અમદાવાદના બાવળા પાસેથી પકડી પાડ્યો હતો. દરમિયાન જામનગર લઈ આવી પોલીસે આ શખ્સની પૂછપરછ કરી હતી જેમાં તેમણે પિતાની ટોકટોક થી કંટાળી હતી અને ચાવી હોવાની કબુલાત કરી છે પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે