જામનગર : જિલ્લા પોલીસબેડામાં ધરખમ ફેરફાર, 10 પીએસઆઇની અરસપરસ બદલી, જાણો કોણ ? ક્યાં?

0
1008

જામનગર અપડેટ્સ : જિલ્લા પોલીસ બેડામાં વધુ એક વખત જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપત્તો પીસી 10 પોલીસ સબ ઇન્સ્પેકટરોની અરસ-પરસ બદલીઓ કરી છે. જેમાં જામનગર શહેરના 4 ઉપરાંત જિલ્લાભરના 6 પી.એસ.આઇ.નો સમાવેશ થાય છે.


જામનગર પોલીસ અધિક્ષક ભદ્રન દ્વારા આજે જિલ્લાભરમાં ફરજ બજાવતા 10 પી.એસ.આઇની અરસ-પરસ ટ્રાન્સફર કરી છે. જેમાં લાંબા સમયથી મેઘપર પોલીસ દફતરમાં ફરજ બજાવતા ડી.એસ.વાઢેરને લાલપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જયારે સિક્કા પોલીસ દફતરના  પી.એસ.આઇ. કે.આર.સીસોદીયાને મેધપર, જયારે મેઘપર પોલીસ દફતરના પીએસઆઇ તરીકે  લાલપુરમાં ફરજ બજાવતા બી.એસ.વાળાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ધ્રોલ પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીએસઆઇ સી.એમ.કાંટેલીયાને પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં, જયારે પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરનાં પીએસઆઇને સિક્કા પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી  છે. જયારે જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.વી.ઝાલાને શેઠવડાળા તેમજ શેઠવડાળા પીએસઆઇ એ.ડી.વાળાને ટ્રાફિક શાખા જામનગર બદલી કરવામાં આવી છે. જયારે ટ્રાફિક શાખાના પીએસઆઇ વૈશાલી આહિરને જામજોધપુર સેક્ધડ પીએસઆઇ તરીકે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પંચકોશી એ ડિવિઝન પોલીસ દફતરનાં પીએસઆઇ ડી.પી.ચુડાસમાને સીટી સી(ઉદ્યોગ નગર પોલીસ ચોકી)માં બદલી કરવામાં આવી છે. જયારે સીટી સી ડિવિઝનના પીએસઆઇ એમ.એન.જાડેજાને ધ્રોલ પોલીસ દફતરમાં બદલી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here