જામનગર : એક સરપંચે પવનચક્કી કંપની પાસેથી નાણા ખંખેર્યા અન્યએ આડેધડ કામ કર્યા, બંને ઘર ભેગા

0
1701

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાની બે ગ્રામ પંચાયતના સરપંચ ઘરભેગા થવાનો વારો આવ્યો છે. એક ગામના સરપંચે સદસ્ય સાથે મળી ગામમાં પવનચક્કી કપની પાસેથી ત્રણ લાખ ખંખેરી લીધા છે. જયારે અન્ય ગામના સરપંચે જે નાણા યોગ્ય  રીતે યોગ્ય વિકાસ કામમાં વાપરવાને બદલે અન્ય કામમાં વાપરી નાખતા જીલ્લા વિકાસ અધીકારીએ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે.  જામનગર ડીડીઓ આકરા પાણીએ થયા છે.

જામનગર તાલુકાના જામ વંથલી ગામના સરપંચ સામે પવનચક્કી નિર્મિત કપની સુઝલોન પાસેથી નાણા ખંખેરી લીધાની ફરિયાદ આવી હતી. જે મુજબ સરપંચ મીનાબેન અમૃતલાલ ટોરીયા, ઉપસરપંચ જગદીશભાઈ ભીખાભાઈ ચોહાણ અને સભ્ય પરબત ભૂરા ટોરિયાએ કંપની પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ લીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી હતી જેમાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી જેને લઈને ડીડીઓ ગર્ગએ ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા હતા અને રૂપિયા ત્રણ લાખ દસ દીવસમાં પંચાયતમાં જમા કરવા હુક્મ કર્યો છે. જયારે જોડિયા તાલુકાના લખતર ગામના સરપંચે ૧૪માં નાણા પંચની ગ્રાન્ટ અલગ અલગ કામ માટે ફાળવવામાં આવી હતી. જે કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ જે વિકાસ કાર્યો માટે નાણા વપરાવવા જોઈએ તેની જગ્યાએ મંજુરી વગર અન્ય કામ કરી દેવામાં આવ્યુ હતું. જેને લઈને પંચાયત ધારાનું ઉલ્લંઘન થતા ડીડીઓ વિપિન ગર્ગએ લખતરના સરપંચ ભરભાઈ ચનીયારાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. જીલ્લા વિકાસ અધિકારીના કડક વલણને લઈને અનેક ગ્રામ પંચાયતમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here