લાખાબાવળ જમીન પ્રકરણમાં ગામને મોઢે ગરણું કોણ બાંધે ? સત્ય એ છે કે મહેસુલ અધિનિયમ મુજબ જ થઇ છે કાર્યવાહી

0
494

લાખાબાવળ ગામના જમીન પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ચાર દાયકા પૂર્વે નાળિયેર વાળી જમીનની હરાજી થયા બાદ શરત ફેર, ખાલસા બાદ આ જમીન મહેસુલ તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી રિગ્રાન્ટ કરવામાં આવી હતી. જમીનની હરાજી વખતે સરકારે જ હેતુફેરને માન્યતા આપી હતી. ત્યારબાદ વર્તમાન જમીન માલિક દ્વારા કાયદેસરની કાર્યવાહી દ્વારા બિનખેતીની કાર્યવાહી કરવામાં આવી છે. બિનખેતી વખતે જ જાડાએ રસ્તા અંગેનો સમગ્ર પ્લાન મંજુર કર્યો છે. મહેસુલી દસ્તાવેજી પુરાવો હાલ જમીન માલિકની સત્યતા દર્શાવી રહ્યા છે.

જામનગર નજીકના લાખા બાવળ ગામના રેવન્યુ સર્વે નંબર ૧૬૦, ૧૬૧ તથા ૧૬૨ ની ખેતીની જમીનો આજથી ૪૪ વર્ષ પહેલા હાથીયા હેભા દ્વારા બેંક દ્વારા થયેલ જાહેર હરાજીમાં ઉંચો ભાવ ભરી ખરીદ કરેલ છે.  જે અંગે તા. ૨૫-૧-૧૯૮૦ના નવી શરતથી જમીન ફાળવણી અંગેનો ઠરાવ થયેલ છે.  ત્યાર બાદ, આ જમીનો અંગે શરતભંગની કાર્યવાહી થતાં અને મેટર મા. સભ્ય ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ સમક્ષ પહોંચતા ગુજરાત મહેશુલ પંચ અમદાવાદ દ્વારા આજથી ૨૭ વર્ષ પહેલા તા. ૧૮–૧૦–૧૯૯૭ના હુકમ કરી મજકુર જમીન હાથીયા હેભાએ જાહેર હરાજીમાં જમીન રાખેલ હોય, તેમની સામે કોઈ શરતભંગ થઈ શકે નહીં તેમ માનિ જમીન હાથીયા હેભાની માલિકી કાયમ કરેલ છે.  આ જમીન અંગે નાયબ કલેકટર જામનગર દ્વારા હુકમ કરી આજથી આશરે ૨૬ વર્ષ પહેલા હાથીયા હેભાની અરજીના આધારે મજકુર જમીન નવી શરતના નીયંત્રણ માથી મુકત કરી જુની શરતમાં ફેરવવાનો તથા આ જમીન બીનખેતીના હેતુ માટે પ્રીમીયમને પાત્ર રહેશે તેવો સ્પસ્ટ હુકમ તા. ૧૮–૧૦–૯૭ ના કરેલ છે. આશરે 26 વર્ષ પૂર્વે આ જમીનો રેવન્યુ રેકર્ડ પર જુની શરતની ચોખ્ખા ટાઈટલની જમીન છે એમ રેવન્યુ રેકોર્ડ પરથી સ્પષ્ટ છે. આ જમીન અંગે  હાથીયાભાઈ હેભાભાઈ દ્વારા તા. ૨૭–૯–૨૦૧૭થી ઝોનીંગ સર્ટીફીકેટ તથા ડીપી પાર્ટ પ્લાન મેળવવામાં આવેલ છે. આ જમીનો અંગે મામલતદાર જામનગર ગ્રામ્ય દ્વારા તા. ૨૨-૯-૨૦૧૭ ના હુકમ કરી, એકત્રીકરણ કરવામાં આવી છે. હાલનો વિવાદનું અંતિમ સત્ય એ છે કે જમીનના ખરીદ વેચાણથી માંડી બિન ખેતી સુધીની પ્રક્રિયા કાયદાકીય અને મહેસુલ અધિનિયમ મુજબ જ થઇ છે.

એકત્રીકરણ થયેલ આ જમીન જસ્મીન જમનભાઈ ફળદુ  દ્વારા હાથીયાભાઈ એભાભાઈના વારસો પાસેથી રજીસ્ટર્ડ દસ્તાવેજ નં. ૨૪૪, તા. ૨૭–૩–૨૦૧૯ ના પાકા રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરવામાં આવી છે. હાલ રેવન્યુ રેકર્ડમાં જસ્મીન જમનભાઈ ફળદુનું નામ અને ચોખ્ખી માલિકી સ્પસ્ટ થયેલ છે.  હાલના ખાતેદાર જસ્મીન જમનભાઈ ફળદુએ કાયદાની જોગવાઈ મુજબ આ જમીનો અંગે કલેકટરના હુકમ મુજબ પ્રીમીયમ ભરી બીનખેતી કરાવેલ છે. ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સતામંડળના હુકમથી લે–આઉટ મંજુર કરાવેલ છે. 

એકત્રીકરણ અને જાડાના ડીપી રોડના માર્ગદર્શન બાદ રસ્તાનો કોઈ સવાલ જ નથી

બીજી તરફ વાત રહી રસ્તા બાબતના હકીકતની તો આ વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ અને જાડા અંતર્ગત આવે છે. જાડા દ્વારા ડી પી રોડ અંગેનો પ્લાન પ્રથમથી જ મંજુર કરેલ છે તો જુના નકશા દર્શાવી વિરોધ વ્યક્ત કરવાનો કે વિવાદ ઉભો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ બાબત પણ કાયદેસર રીતે થયેલ છે.

હિત શત્રુઓએ ગુમરાહ કર્યા હોય એવું લાગે છે: જશમીન ફળદુ

પાંચ વર્ષ પૂર્વે આ જમીન ખરીદ કરી ત્યારે મહેસુલના તમામ નિયમો મુજબ કરવામાં આવી છે. મહેસુલને આધીન તમામ દસ્તાવેજ કરાયા છે. વેચાણ દસ્તાવેજ અને બિન ખેતી સહિતની બાબતો મહેસુલી ફોર્મ્યુલા અંતર્ગત જ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 1980થી 2019 દરમીયન જમીનની હરાજી, હેતુફેર, ખાલસા, રિગ્રાન્ટ, એકત્રિકરણ અને ખરીદી દસ્તાવેજ, બિનનખેતી સહિતની બાબતોમાં સંપૂર્ણ રીતે મહેસુલને આધીન કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં કોઈ કામ બિન કાયદાકીય છે જ નહીં, કોઈ હિત શત્રુઓએ ગુમરાહ કરી જમીન અંગે ખોટી અફવા ફેલાવી હોવાનું જમીનદાર જશમીન ફળદુએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here