જામનગર: વસઈ ગામે વિધવાની દસ કરોડની જમીન હડપી લેવાનો દસ્તાવેજી પ્રયાસ

0
1700

જામનગર અપડેટ્સ: જામનગર નજીકના વસઈ ગામે રહેતા એક મહાજન વિધવાની કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપી લેવાની દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે સખ્સો તેમજ વકીલની ભૂમિકા પણ હોવા અંગે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવાયો છે. પોલીસે ચારેય સખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા રંજનબેન નરશીભાઈ સુમરીયા નામના મહાજન વિધવા મહિલાએ પોતાની જમીન હડપી લેવાના થયેલ પ્રયાસ અંગે સવદાસભાઇ અરજણભાઇ ચાવડા રહે,રાજકોટ તથા  કિશોરભાઇ હેમગર ગુસાઇ રહે,ટીંબડી તથા પૂંજાભાઇ કારૂભાઇ કરમુર રહે,બેરાજા તા,ખંભાળીયા તથા  રણછોડભાઇ નરશીભાઇ પરસાણા વકીલ વાળાઓ સામે સિક્કા પોલીસ દફતરમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨),૬૧(૨)(એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.

સિક્કા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદી બેન અભણ અને એકલવાયુ જીવન ગુજારતા હોય જેનો ફાયદો ઉપાડવા સારૂ ફરીયાદીની વસઇ ગામની ખેતીની જમીનના ખાતા નં-૮૯૫ જુના રે.સ.નં-૧૭૭/૨ નવા રે.સ.નં-૩૧૮ની ૧-૩૫-૩૧ હેકટર આવેલ હોય જેની હાલની બજાર કિંમત અંદાજે આશરે દસેક કરોડની ગણાય તે પચાવી પાડવા માટે પૂર્વયોજીત કાવતરૂ કરી ફરીબેનના નામનો ખોટો વેચાણ કરાર તૈયાર કરી તેમા તેમના નામના ખોટા અંગુઠાનુ નિશાન કરી તેની ખોટી ઓળખ તથા સાક્ષી પૂરાવા આપી. તેને સાચો સાબીત કરવા માટે ખોટી વેચાણ કરારની નોટીસ આપી નામદાર સિવીલ કોર્ટમા આ ખોટા વેચાણ કરારને ખરા તરીકે રજુ કરવામાં આવ્યો હતો. જેની જાણ થતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યુ હતું. મહિલાના બેંક એકાઉન્ટમાં એક લાખ રૂપિયા જમાં થઈ જતા અને જેની તપાસ કરવામાં આવતા સમગ્ર વિગતો બહાર આવી હતી. આ રૂપિયા રાજકોટના સખ્સે નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. જેની સામે પોલીસ અરજી થયા બાદ તેઓએ ભૂલથી રૂપિયા જમા થઇ ગયાનું જણાવ્યું હતું. જો કે બાદમાં જમીન કૌભાંડ ખુલતા ચારેય સખ્સોની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here