જામનગર: ભંગાર તોડતી વખતે બ્લાસ્ટ,વૃદ્ધનું મોત

0
747

જામનગરમાં ગોકુલ નગર વિસ્તાર પાસે આવેલા વિજયનગરમાં ભંગાર તોડતી વખતે વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં ભંગાર તોડતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વૃદધાને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે બ્લાસ્ટ કેવી રીતના અને કેવા સંજોગોમાં થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ આ મુદ્દે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલા વિજયનગરમાં આજે સવારે ભાડેથી રાખેલી દુકાનમાં ભંગાર તોડવાનું કામ ચાલુ હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં કામ કરી રહેલા સંકર ટેકરી વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ અને તેમના સાથે કામ કરતા વૃદ્ધને ઈજા પહોંચી હતી ધડાકાભેર થયેલા ગ્લાસના કારણે ગંભીર ઈજા પહોંચતા ભંગાર તોડતા લખમણભાઇનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે વરુદ્ધાને પગના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બ્લાસ્ટ એટલો વિસ્ફોટ હતો કે નજીકના 15 ફૂટના અંતરે ઊભેલી રીક્ષા ના કાચ તૂટી ગયા હતા આ ઘટનાની જાણ થતા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કેવી રીતે બ્લાસ્ટ થયો છે અને કેવા સંજોગોમાં બ્લાસ્ટ થયો છે શું કોઈ વિસ્ફોટક સામગ્રી તોડતી વખતે બ્લાસ્ટ થયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.


વૃદ્ધ શંકર ટેકરી વિસ્તારમાં રહે છે અને અહીં 8 થી 10 વર્ષથી ભાડે દુકાન રાખીને ભંગાર તોડવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here