જામનગર: રાત્રી પ્રકાશ ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ: ૬૪ ટીમ ભાગ લેશે…

0
612

જે.સી.સી (જુગુનું ક્રિકેટ કેમ્પ) ગ્રુપ દ્વારા આયોજિત ‘ઝહિંન કપ – ૨૦૨૨’ જે હાપા માર્કેટિંગ યાડ સામે આવેલ જુગુનું ગ્રાઉન્ડ પર મર્યાદિત ઓવર ની ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સૌરાષ્ટ્ર માંથી કુલ ૬૪ ટીમો વચ્ચે ક્રિકેટનો રોમાંચક મુકાબલો થશે. આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ ને રૂ.૫૧,૦૦૦ અને ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમ ટીમ ને રૂ.૨૫,૦૦૦ અને ટ્રોફી મળશે. સાથે જ બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ, બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટૂર્નામેન્ટ અને મન ઓફ ધ સિરીઝ ને પણ ટ્રોફી આપવામાં આવશે.

તેમજ આ ટુર્નામેન્ટ માં મન ઓફ ધ મેચ માં ખિલાડીયો ને ટી-શર્ટ દરએક મેચ માં આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ માં ઉદઘાટન પ્રસંગે જામનગર ઉદય દૈનિક અખબાર ના તંત્રી બ્રિજેશભાઇ પરમાર, પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, મેહમુદભાઇ વેહવારિયા, કિરીટભાઇ મહેતા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી યુવા વિગ ના ઉપપ્રમુખ વિશાલભાઇ ત્યાગી, આપ ના પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી પ્રદીપસિંહ વાળા, મુસ્લિમ સંધી સમાજ ના પ્રમુખ હાજી રીઝવાનભાઇ જુણેજા, યુવા કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, સૈયદ સમાજ ના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ બાપુ, સૈયદ જમાત ના પ્રમુખ અજીજબાપુ, ઉપપ્રમુખ સૈયદ અશરફબાપુ તેમજ પટણી સમાજ ના પ્રમુખ હાજી જુસબભાઇ ખુરેશી, ડો.ઝાહિદ રાઠોડ, જાણીતા સિંગર મુન્નાખાન પઠાણ અને પરાક્રમસિંહ જાડેજા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટ આમંત્રિતો સહીત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહી ભાગ લેનાર ટીમોને પ્રોત્સાહિત કરી હતી.’ઝહિંન કપ – ૨૦૨૨’ ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા આયોજક સૈયદ જૈનુંલબાપુ, કાસમભાઇ ગોરી અને સદામભાઇ શેખ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઝહિંન કપ – ૨૦૨૨ મર્યાદિત ઓવર ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રારંભના દિવસ તા.૦૫-૧૧-૨૦૨૨ (શનિવાર) થી દરરોજ સાંજે ૭ થી મોડી રાત્રી સુધી પાંચ મેચ રમાડવામાં આવશે.જામનગર શહેરના ક્રિકેટ શૌખીનોને આ ટૂર્નામેન્ટ નિહાળવા આયોજક સૈયદ જૈનુંલબાપુ, કાસમભાઇ ગોરી અને સદામભાઇ શેખ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here