જામનગર: ખેડૂત પિતા પુત્રએ સજોડે ઝેરી દવા પીધી, પિતાનું મોત

0
1123

જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા ખેડૂત પિતા પુત્ર એ પોતાની સુવરડા ગામ વિસ્તારમાં આવેલ વાડીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવમાં પિતાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પુત્રને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવવાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગર પંથકમાં ફેલાવનાર બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના કાલાવડ રોડ પર આવેલા ઠેબા ગામે રહેતા ગણેશભાઇ ભનાભાઇ સંઘાણી ઉ.વ-૭૦ અને તેના પુત્ર હર્ષદભાઈએ ગઈકાલે પોતાની સુવરડા ગામની સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પિતા પુત્ર એક સાથે ઝરી દવા પી લેતા મચી જવા પામી હતી આ બનાવની જાણ થતા તેમના પરિવારજનોએ બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર હેઠળ વૃદ્ધ પિતાનું મૃત્યુનીપજ્યું હતું જ્યારે પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કયા કારણોસર પિતા પુત્રએ આ પગલું ભર્યું છે તેની હજુ સુધી સિગતો જાહેર થવા પામી નથી.

પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી તેમના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે પટેલ પરિવાર સહિત નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here