જામનગર : એ મહિલાએ ગળાફાસો ખાઈ મોત અંગે કોને દોષ આપ્યો ? સુસાઈડ નોટમાં આવી છે વિગતો

0
945

જામનગર : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. અતિમ  પગલું ભરતા પૂર્વે મહિલાએ સુસાઈડ નોટ લખી છે જેમાં પોતાના મૃત્યુ માટે કોઈ જવાબદાર નહી હોવાનું જણાવ્યું છે જો કે કોઈ દુખ કે સંતાપ વગર આપઘાત કરે એ વાત ગળે ઉતરતી ન હોવાથી પોલીસે તેણીના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પટેલ કોલોની નવ વિસ્તારમાં યાદવ પાન પાસે રહેતા ડીમ્પલબેન વિનુભાઈ આસોડિયા ઉવ ૨૧ નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવના પગલે સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને રૂમમાંથી  એક સુસાઈડ  નોટ પણ મળી આવી છે. જેમાં આ પગલા પાછળ કોઈને દોષ ન આપવાનું લખ્યું છે. પોલીસે મૃતકનો કબજો સંભાળી પીએમ કરાવી, સુસાઈડ નોટની ખરાઈ કરવા અને તેણીના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here