જામનગર: 20% માસિક વ્યાજે રૂ.13 લાખની લોન, રૂ.22 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

0
202

જામનગર અપડેટ્સ: જામનગરમાં મનીલેન્ડિંગના એક ચોંકાવનારા મામલામાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે બે ભાઈઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, આર્થિક મુશ્કેલીના કારણે એક યુવકે આરોપીઓ પાસેથી કટકે-કટકે રૂ.13 લાખ માસિક 20 ટકા વ્યાજે લીધા હતા. જેમાં અત્યાર સુધીમાં રૂ.22 લાખ જેટલું વ્યાજ ચૂકવ્યા હોવા છતાં વધુ ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, બે બેંક ચેક અને એક્સેસ મોટરસાઇકલ બળજબરીથી લઈ જઈ ગાળો આપી તેમજ ગંભીર પરિણામની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં આરોપ છે.

તેમ છતાં વધુ ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના બે બેંક ચેક બળજબરીથી મેળવી લીધા હતા. ઉપરાંત ફરિયાદીના નામે નોંધાયેલ એક્સેસ મોટરસાઇકલ (GJ 10 DQ 1230) પણ બળજબરીથી લઈ જઈ પોતાના કબજામાં રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા ગાળો આપી મૂળ રકમ તેમજ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. ચેક બાઉન્સ કરાવી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ ફરિયાદ કરવાની તેમજ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોણ છે ભોગગ્રસ્ત ફરિયાદી

અમન યુનુશભાઈ મલેક, ઉંમર 23 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. કાલાવડ નાકા બહાર, એસ.ટી. ડિવિઝન પાસે, ગ્રીન પાર્ક શેરી નં.1, જામનગર.

કોણ છે આરોપીઓ

અનીશ યુસુફભાઈ મીનાણી, જાતે ગરાણા
તોફીક યુસુફભાઈ મીનાણી, જાતે ગરાણા બંને રહે. કાલાવડ નાકા બહાર, ગરીબનવાઝ પાર્ક-2, શેરી નં.6, જામનગર.

આ મામલે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 352, 351(2), 54 તથા મનીલેન્ડર્સ એક્ટની કલમ 5, 39, 40 અને 42(A) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: ઉપરોક્ત વિગતો પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને નોંધાયેલા ગુનાના આધારે છે. આરોપીઓ સામેના આક્ષેપો કોર્ટમાં સાબિત થાય ત્યાં સુધી તેમને કાયદેસર રીતે નિર્દોષ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here