જામનગર: લાલચુ કાકાએ ભત્રીજીને નર્સિંગ કોલેજમાં પ્રવેશ અપાવ્યો પણ પછી…

0
1604

જામજોધપુરમાં રહેતા ભાઈની પુત્રીને અમદાવાદ ખાતે પેરામેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દઈ કાકા અને તેના પુત્ર પુત્રીએ ફી ભરવા આપેલી રકમમાંથી 5.10 લાખની રકમ ન ભરીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ પ્રકરણમાં પિતા પુત્ર અને પુત્રી સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કુલ 5.70 લાખની રકમમાંથી આરોપીઓએ માત્ર 10,000ની ફી ભરી, છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જામજોધપુરમાં બાલવા રેલ્વે સ્ટેશન પાસે રહેતા રામજીભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા સાથે જુનાગઢ મધુરમ સોસાયટીમાં રહેતા પોતાના ભત્રીજા વિશાલ જયંતીભાઈ ઝિંઝુવાડીયા, ભાઈ જયંતીભાઈ મોહનભાઈ ઝિંઝુવાડીયા અને અમદાવાદ વટવામાં રહેતી જેન્તીભાઈની પુત્રી રેખાબેન ઝિંઝુવાડીયાએ રૂપિયા પાંચ લાખ દસ હજારની છેતરપિંડી આચર્યાની પોલીસ દફતર માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રામજીભાઈની પુત્રીને અમદાવાદ ખાતે પેરા મેડિકલ કોલેજમાં નર્સિંગના કોર્ષમાં એડમિશન લેવાનું હોવાથી ગત જાન્યુઆરી માસથી સપ્ટેમ્બર માસના ગાળા દરમિયાન તમામ આરોપીઓએ એડમિશનની પ્રક્રિયા કરી ₹5.70 લાખની રકમ અલગ અલગ રીતે મેળવી લીધી હતી. અમદાવાદની મેન્ટોસ પેરામેડિકલ કોમ્યુનિટી કોલેજ ખાતે એડમિશન અપાવ્યા બાદ ૫.૭૦ લાખની રકમ મેળવી લઈ, આ રકમમાંથી માત્ર 10,000 ની રકમ ફી પેટે કોલેજમાં ભરી જ્યારે અન્ય રકમ અંગત ઉપયોગમાં લઇ ત્રણેય સખ્સો એ વાપરી નાખી, પૂરી ફેસીલીટી ન આપી, વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. જેને લઈને રામજીભાઈએ ત્રણે શખ્સો સામે જામજોધપુરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે pi એમ એન ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here