જામજોધપુર : ચુર કૌભાડમાં નાયબ કાર્યપાલક ઇજનેરની સંડોવણી ખુલી, અગાઉ ૩૨ લાખના કૌભાડનો પણ આરોપી

0
833

જામનગર : જામજોધપુર તાલુકાના ચુર ગામના બે સરપંચ અને સરકારી વિભાગોના કર્મચારીઓએ મળીને ચાર વર્ષ પૂર્વે આચરેલ આર્થિક કૌભાંડ સંદર્ભે એસીબીની તપાસમાં વધુ એક સરકારી બાબુની સંડોવણી સામે આવી હતી. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેરની સંડોવણી બહાર આવી છે. આ પ્રકરણમાં સંડોવણીની ભનક આવી જતા હાલ રીટાયર બાબુએ આગોતરા જામીનની અરજી  મૂકી હતી જે કોર્ટે નામંજુર કરી દેતા હવે ધરપકડનો માર્ગ મોકળો થયો છે.  

જામજોધપુર તાલુકાના ચુર ગામે વર્ષ ૨૦૧૬-૧૭માં તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઈ રાઠોડ અને નીતેશસિંહ જાડેજા સામે ટીડીઓએ જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં બંને સરપંચ દ્વારા સરકારીની જુદી જુદી યોજનાઓ હેઠળ રબારીવાસમાં પાણીની ટાંકી અને ગામતળમાં પાઈપ લાઈનનું કામ કરેલ ન હોવા છતાં રૂપિયા ૧,૮૯,૪૦૦ની રકમનું સબંધિતોને ચૂકવણું કર્યું હતું. આ ચૂકવણા પૂર્વે જવાબદાર સરકારી કર્મચારી-અધિકારીએ ખાતરી કર્યા વગર, સતલ પર કામ થયાની ખરાઈ કર્યા વિના, ખોટા માપ લખી  માપપોથીમાં દર્સાવી, કામ પૂર્ણ ન થયું હોવા છતાં પૂર્ણ થયાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. ફરિયાદને લઈને એસીબીની ટીમે બંને સરપંચની ધરપકડ કરી રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી હતી. જેમાં જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તાત્કાલિક અધિક મદદનીશ ઈજનેર દર્શન હસમુખભાઈ પરમારની સંડોવણી સામે આવી હતી જેને લઈને એસીબીની ટીમે જામનગર રહેતા આ અધિકારીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. જેમાં તત્કાલીન તલાટીની ભૂમિકા સામે આવી હતી. જેથી એસીબીની ટીમે તત્કાલીન તલાટી અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રવજી મનસુખ ધારેવાડીયાની ધરપકડ કરી હતી. આ સરકારી બાબુની વિધિવત પૂછપરછ કરતા એસીબીએ કોવીડ ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ કર્યો હતો જેમાં કોર્ટે આરોપીને રિમાન્ડ પર લેવાનો હુકમ કરતા એસીબીએ આરોપી આચાર્યને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આરોપી તરફથી જામીન પર છૂટવા માટે તા. પાચમીના રોજ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને એસીબી પીઆઈ એડી પરમારએ આરોપીને જામીન મુક્ત ન કરવા માટે બીજા એડીશનલ સેસન્સ જજ ટી આર દેસાઈની કોર્ટમાં સોગંધનામું કર્યું હતું. જેને લઈને સરકારી વકીલ જમન ભંડેરીની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે આજે આ અરજી ગ્રાહ્ય રાખી ન હતી અને રેગ્યુલર જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ તપાસ દરમિયાન આ પ્રકરણમાં તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર કિશનકુમાર શંકરદાસ સ્વામીની પણ સંડોવણી  ખુલવા પામી હતી. આ આરોપી  સુધી એસીબી પહોચે તે પૂર્વે આરોપી તરફથી જામનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ જમન ભંડેરીની દલીલોને ધ્યાને રાખી કોર્ટે આ સરકારી બાબુના આગોતરા જામીન પણ રદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી સ્વામી સામે જામનગર જીલ્લામાં જ અગાઉ રૂપિયા ૩૨ લાખના કૌભાંડમાં સંડોવણી સામે આવી હતી. પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં આ કૌભાંડની ફરિયાદ પણ નોંધાવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here